Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Lok Sabha seats will not be allowed to be 850...', Thalapathy Vijay's sharp tirade on Pariseeman Bill

VIDEO: 'લોકસભાની બેઠકો 850 નહીં થવા દઈએ...', પરિસીમન બિલ પર થલપતિ વિજયના તીખા તેવર

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

CM Vijay and Delimitation Bill News : CM વિજયે વિધાનસભામાં કહ્યું કે 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત હાલની 543 લોકસભા સીટોના આધારે જ આપવી જોઈએ. પ્રસ્તાવમાં લોકસભાની સીટો વધારવાનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.

App Store

પરિસીમન બિલ પર થલપતિ વિજયના તીખા તેવર

પરિસીમન બિલને લઈને થલપતિ વિજયે ફરી એકવાર બળવાખોર વલણ અપનાવ્યું છે. નીટ અને FCRA બિલ સામે પ્રસ્તાવ પાસ કર્યા બાદ તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજયે બુધવારે કેન્દ્રની મોડી સરકારના પરિસીમન પ્લાન સામે મોરચો ખોલી દીધો છે. વિજયે તમિલનાડુ વિધાનસભામાં લોકસભા સીટોની સંખ્યા વધારવાના પ્રસ્તાવ સામે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ રજૂ કરતા CM વિજયે સ્પષ્ટ કરી દીધું કે તેઓ દક્ષિણ ભારતના અધિકારોની કિંમતે મોદી સરકારને લોકસભા સીટો વધારવા નહીં દે.

તમિલનાડુ સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ એ સ્પષ્ટ માંગ રાખી છે કે દેશમાં લોકસભા સીટોની કુલ સંખ્યાને કાયમ માટે 543 પર જ ફ્રીઝ રાખવામાં આવે. પ્રસ્તાવમાં જણાવાયું છે કે તમિલનાડુ અને અન્ય દક્ષિણના રાજ્યોએ રાષ્ટ્રીય નીતિઓનું પાલન કરીને વસ્તી નિયંત્રણને અસરકારક રીતે લાગુ કર્યું છે. એવામાં માત્ર વસ્તીના આધારે સીટો વધારવાથી સંસદમાં તમિલનાડુ અને દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ કાયમ માટે નબળું પડી જશે.

પ્રસ્તાવ રજૂ કરતા મુખ્યમંત્રી વિજયે કહ્યું, "2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત હાલની 543 લોકસભા સીટોના આધારે જ આપવી જોઈએ. મહિલા અનામતમાં હવે વધુ વિલંબ થવો જોઈએ નહીં. તમિલનાડુમાં પુરુષોની સરખામણીએ મહિલાઓએ વધુ મતદાન કર્યું છે. મહિલાઓને અનામત આપવી એ કોઈ રાહત નથી, પરંતુ સામાજિક ન્યાયનો વિષય છે. 33 ટકા મહિલા અનામતને કોઈ પણ વધુ વિલંબ વિના લાગુ કરવી જોઈએ."