VIDEO: "દેશના ભવિષ્યને માફ કરનાર પ્રધાનમંત્રી કોણ? RSS અને કેન્દ્ર સરકારની વિચારધારા દેશ માટે ખતરનાક" ; નવી દિલ્હીમાં રાહુલ ગાંધીનું નિવેદન
'વાઇકો ઇન પાર્લામેન્ટ' (Vaiko in Parliament) પુસ્તકના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહેલા લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ દેશની વર્તમાન સ્થિતિ અને શિક્ષણ વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દેશના યુવાનો, પરીક્ષા પ્રણાલી અને વિપક્ષી વિચારધારા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓની સ્થિતિ પર ચિંતા
પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "હાલમાં આપણે દેશમાં એક ખૂબ જ વિચિત્ર અને ચિંતાજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. આજે દેશના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેઓ પરીક્ષાઓમાં પારદર્શિતા-ન્યાય અને એક સુદ્રઢ શિક્ષણ વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે."
"દેશના ભવિષ્યને માફ કરનાર પ્રધાનમંત્રી કોણ?"
પ્રધાનમંત્રીના વલણ સામે સવાલો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું, "એક તરફ વિદ્યાર્થીઓ પોતાના હક માટે લડી રહ્યા છે, તો બીજી તરફ પ્રધાનમંત્રી તેમને માફ કરી રહ્યા છે. તેઓ તેમને માફ કરનારા કોણ છે, તે મને સમજાતું નથી. ભારતના ભવિષ્યને માફ કરવાનો અધિકાર તેમને ક્યાંથી મળ્યો? પરંતુ તેઓ આ જ કરવાનો વિકલ્પ પસંદ કરે છે."
RSS અને સરકારની વિચારધારા પર આક્ષેપ
રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને શાસક પક્ષની વિચારધારા પર નિશાન સાધતા ઉમેર્યું કે, "પ્રધાનમંત્રી અને તેમના સહયોગીઓ, ખાસ કરીને RSSની વિચારધારામાં એક અત્યંત ખતરનાક વિચાર રહેલો છે. આ એવો વિચાર છે જે ભારતને વિવિધતા અને તેના લોકોની અભિવ્યક્તિ તરીકે નથી સ્વીકારતો."

