Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: A grand Mahakalash Yatra started from Narol Kedarnath temple before Mahashivratri, the sound of 'Har Har Mahadev' echoed for 10 km

VIDEO: મહાશિવરાત્રી પૂર્વે નારોલ કેદારનાથ મંદિરથી નીકળી ભવ્ય મહાકલશ યાત્રા, 10 કિમી સુધી ગુંજ્યો 'હર હર મહાદેવ'નો નાદ

Timeછેલ્લું અપડેટ : 14 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મહાશિવરાત્રીના પવિત્ર પર્વ આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના નારોલ ખાતે ભગવાન શિવની ઐતિહાસિક અને અદભુત નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નારોલ વિસ્તારમાં આવેલા  કેદારનાથ મંદિર ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો, જેણે સમગ્ર વિસ્તારને શિવમય બનાવી દીધો હતો.

App Store

51 વર્ષની અતૂટ પરંપરા
છેલ્લા 51 વર્ષથી 'મેલડી સેવા ટ્રસ્ટ' દ્વારા આ શિવયાત્રાનું અત્યંત શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરા મુજબ નારોલ, શાહવાડી અને લાંભા સહિતના વિવિધ વિસ્તારોમાં આશરે 10 કિલોમીટર લાંબી આ નગરયાત્રા ફરી હતી. માર્ગમાં ઠેર-ઠેર ભક્તોએ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મહાકલશ યાત્રા અને મહિલા શક્તિ
આ આયોજનની સૌથી મોટી વિશેષતા 'મહાકલશ યાત્રા' હતી. હજારોની સંખ્યામાં મહિલાઓ માથા પર કળશ ધારણ કરી ભગવાન શિવની ભક્તિમાં જોડાઈ હતી. શણગારેલા રથમાં બિરાજમાન મહાદેવના પ્રતીક સમી આ યાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

દેશભક્તિનો સંગમ
આ ધાર્મિક ઉત્સવમાં દેશભક્તિના પણ દર્શન થયા હતા. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભક્તોએ ભગવાન શિવને દેશની રક્ષા અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

રાજકીય અગ્રણીઓની હાજરી 
આ મંગલ પ્રસંગે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ તેમજ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોની ખાસ હાજર રહ્યા હતા. તેઓએ પણ ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા અને આયોજકોને આ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.