2 'શત્રુ' દેશોએ TRUMPની હાજરીમાં 5 વર્ષ જૂની દુશ્મનીનો અંત કર્યો!

અમેરિકા વારંવાર 2 દેશોની વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે હાજર રહેતું જોવા મળે છે. એવામાં અમેરિકાની મધ્યસ્થી હેઠળ બે જૂના હરીફો અઝરબૈજાન અને આર્મેનિયાએ શુક્રવારે (8 ઓગસ્ટ) ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ બેઠક વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં થઈ હતી. આ કરારનો હેતુ માત્ર દાયકાઓ જૂના સંઘર્ષનો અંત લાવવાનો નથી, પરંતુ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાનો પણ છે. આ કરાર ટ્રમ્પ વહીવટીતંત્ર માટે એક મોટી સિદ્ધિ છે અને તે રશિયામાં ગભરાટ ફેલાવશે તે નિશ્ચિત છે, જે આ ક્ષેત્રને તેના પ્રભાવિત ક્ષેત્રમાં માને છે.
Trumpએ સાઇનિંગ સેરેમનીમાં કહ્યું કે, 'અમે 35 વર્ષ સુધી લડ્યા, હવે અમે મિત્રો છીએ... અને લાંબા સમય સુધી મિત્રો રહીશું." સમારોહમાં Trump સાથે અઝરબૈજાનના પ્રમુખ ઇલ્હામ અલીયેવ અને આર્મેનિયાના પ્રમુખ નિકોલ પશિનિયન પણ હાજર હતા.
કેમ શરૂ થયો હતો સંઘર્ષ?
બંને દેશો વચ્ચેના વિવાદનું મૂળ નાગોર્નો-કારાબાખ પ્રદેશ છે, જે અઝરબૈજાનનો ભાગ હોવા છતાં, વંશીય રીતે આર્મેનિયન વસ્તી ધરાવતો વિસ્તાર છે. 1980ના દાયકાના અંતમાં આર્મેનિયાના સમર્થનથી તે અલગ થઈ ગયું હતું. 2023માં, અઝરબૈજાને સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું, ત્યારબાદ લગભગ 1 લાખ વંશીય આર્મેનિયનો ફરી આર્મેનિયા પરત ફરી ગયા.
Doonald Trumpએ કહ્યું કે, બંને દેશોએ લડાઈ બંધ કરવા, રાજદ્વારી સંબંધો ફરી શરૂ કરવા અને એકબીજાની પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ કરાર દક્ષિણ કાકેશસ દ્વારા વ્યૂહાત્મક ટ્રાન્ઝિટ કોરિડોર માટે USને વિશિષ્ટ વિકાસ અધિકારો પણ આપે છે. આનાથી ઊર્જા અને અન્ય સંસાધનોની નિકાસમાં વધારો થશે.
Trumpને નોબલ પુરસ્કાર માટે કર્યા નામાંકિત
બંને નેતાઓએ સંઘર્ષનો અંત લાવવામાં મદદ કરવા બદલ Trumpની પ્રશંસા કરી અને કહ્યું કે, "અમે Trumpને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરીશું." અલીયેવે કહ્યું, "જો Trumpને નહીં, તો પછી નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળવો જોઈએ?"
Trumpએ પોતાના બીજા કાર્યકાળના શરૂઆતના મહિનાઓમાં પોતાને વૈશ્વિક શાંતિ નિર્માતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, તેમણે કંબોડિયા અને થાઇલેન્ડ, રવાન્ડા અને કોંગો, તેમજ પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિ કરાર કરાવ્યા છે. જોકે, ભારતે તેમના દાવાને નકારી કાઢ્યો છે. Trump રશિયા-યુક્રેન યુદ્ધ કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષનો અંત લાવી શક્યા નથી.

