Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Why was Shubman Gill dropped from the T20 team

VIDEO: શુભમન ગિલને શા માટે T20 ટીમમાંથી કર્યો બહાર? સામે આવ્યો BCCIનો મોટો પ્લાન

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ટીમના સિલેક્ટર્સની નજર માત્ર આગામી પ્રવાસ પર જ નથી, પરંતુ આવનારા ઘણા વર્ષો પર છે. શુભમન ગિલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવી રહ્યો છે અને આ જ કારણ છે કે તેમને T20 ટીમથી દૂર રાખીને WTC અને ODI વર્લ્ડ કપ 2027 માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

App Store

ગિલ માટે BCCIની લાંબી વ્યૂહરચના

હવે આ નિર્ણય પાછળનું મોટું કારણ સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પસંદગી સમિતિએ શુભમન ગિલ માટે એક લાંબી વ્યૂહરચના તૈયાર કરી છે, જેના અંતર્ગત તેને હાલમાં T20 ક્રિકેટથી દૂર રાખીને ટેસ્ટ અને ODI ક્રિકેટ પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

વર્કલોડ મેનેજમેન્ટ અને સુકાનીપદની જવાબદારી

શુભમન ગિલ હાલમાં ભારતીય ટેસ્ટ અને ODI ટીમનો કેપ્ટન છે. આગામી દોઢ વર્ષમાં ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અંતર્ગત 9 મહત્ત્વની મેચો રમવાની છે, જ્યારે ODI વર્લ્ડ કપ 2027 પહેલા ટીમ અંદાજે 35 ODI મેચ પણ રમશે. આવી સ્થિતિમાં સિલેક્ટર્સ નથી ઈચ્છતા કે ગિલ ત્રણેય ફોર્મેટ સતત રમતા રહીને શારીરિક અને માનસિક થાકનો ભોગ બને. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે ગિલનું ફિટ અને ફ્રેશ રહેવું ભારતની ભવિષ્યની યોજનાઓ માટે ખૂબ જ જરૂરી છે.

સિલેક્ટર્સની પ્રાથમિકતા: WTC અને વર્લ્ડ કપ

સૂત્રએ જણાવ્યું કે, "સિલેક્ટર્સ નથી ઈચ્છતા કે શુભમન ગિલ પર જરૂરિયાત કરતાં વધુ ક્રિકેટનો બોજ પડે. તેણે ટેસ્ટ અને ODI ટીમની કેપ્ટનશિપ કરવાની છે. આગામી બે વર્ષમાં ભારત સામે બે મોટા લક્ષ્યો છે- WTC ફાઈનલ અને 2027નો ODI વર્લ્ડ કપ. તેથી ગિલની ફિટનેસ અને ફોર્મને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે."

રેડ બોલ ક્રિકેટ અને કેપ્ટન તરીકે મોટો પડકાર

ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27નું ચક્ર અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ફાઈનલની રેસમાં બનેલા રહેવા માટે ભારતે પોતાની બાકી રહેલી 9 ટેસ્ટ મેચોમાંથી ઓછામાં ઓછી સાત મેચ જીતવી પડશે. એટલે કે આવનારા મહિનાઓમાં શુભમન ગિલ પર માત્ર બેટ્સમેન તરીકે જ નહીં, પરંતુ કેપ્ટન તરીકે પણ મોટી જવાબદારી રહેવાની છે. તેથી સિલેક્ટર્સ ઈચ્છે છે કે તેનું પૂરું ધ્યાન હાલમાં રેડ બોલ ક્રિકેટ પર રહે.

ICC ટ્રોફી જીતવા ગિલનું ફોર્મ અનિવાર્ય

BCCIની નજર માત્ર WTC પર જ નથી. 2027 ODI વર્લ્ડ કપને પણ ભારતીય ક્રિકેટનું સૌથી મોટું મિશન માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ODI ક્રિકેટમાં શુભમન ગિલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તેને ભારતના ભવિષ્યના ચહેરા તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે બોર્ડ તેને લાંબા સમય સુધી ફિટ રાખવા માટે વર્કલોડ મેનેજમેન્ટની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે. સિલેક્ટર્સનું માનવું છે કે ગિલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ભારતને ICC ટ્રોફી જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

ગિલનો T20 રેકોર્ડ અને નબળું પ્રદર્શન

T20 ઇન્ટરનેશનલ ટીમમાંથી બહાર હોવા છતાં શુભમન ગિલનો T20 ક્રિકેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. IPL 2025માં તેણે 650 રન બનાવ્યા હતા, જ્યારે IPL 2026માં 732 રન ફટકારીને પોતાનો ક્લાસ સાબિત કર્યો હતો. જોકે, ભારતીય T20 ટીમ માટે 2025માં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નહતું રહ્યું. તેણે 15 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં માત્ર 291 રન બનાવ્યા હતા, જે બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

T20માં વાપસીના દરવાજા હજુ ખુલ્લા છે

રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શુભમન ગિલ માટે T20 ક્રિકેટના દરવાજા બંધ નથી થયા. BCCIનું માનવું છે કે 2028 T20 વર્લ્ડ કપ અને લોસ એન્જલસ ઓલિમ્પિક હજુ ઘણો દૂર છે. આવી સ્થિતિમાં હાલ પૂરતી તેની પ્રાથમિકતા ટેસ્ટ અને ODI ક્રિકેટ છે. સૂત્રના જણાવ્યા અનુસાર, "બે વર્ષ પછી કયો ખેલાડી કેવા ફોર્મ અને ફિટનેસમાં હશે, તે અત્યારે કોઈ નથી જાણતું. તેથી હાલની યોજના 2027 ODI વર્લ્ડ કપ સુધીની છે. ત્યારબાદ પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવામાં આવશે."