T20 World Cup 2026 / હાર બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર! આ 4 ખેલાડીઓના કપાઈ શકે છે પત્તા

T20 વર્લ્ડ કપ 2026માં 22 ફેબ્રુઆરીના રોજ ટીમ ઈન્ડિયાને પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકાએ તેની પહેલી સુપર-8 મેચમાં ભારતને 76 રનથી હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં કેટલાક ભારતીય ખેલાડીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. હવે સાઉથ આફ્રિકા સામેની હાર બાદ આ ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે. ચાલો તે ખેલાડીઓ વિશે જાણીએ.
અભિષેક શર્મા
અભિષેક શર્મા માટે T20 વર્લ્ડ કપ નિરાશાજનક રહ્યો છે. તે સતત ત્રણ મેચમાં શૂન્ય રન પર આઉટ થયો હતો. તેની પાસે સાઉથ આફ્રિકા સામે મોટો સ્કોર કરવાની તક હતી, પરંતુ તે ફક્ત 15 રન જ બનાવી શક્યો. સંજુ સેમસનને તેની જગ્યાએ ઓપનર તરીકે ટીમમાં સામેલ કરી શકાય છે.
તિલક વર્મા
તિલક વર્માએ T20 વર્લ્ડ કપમાં ખૂબ જ ધીમી બેટિંગ કરી છે. તે સાઉથ આફ્રિકા સામે એક રન પર આઉટ થયો હતો. વર્લ્ડ કપમાં તિલકનો સ્ટ્રાઇક રેટ એક મોટી સમસ્યા સાબિત થયો છે. જો મેનેજમેન્ટ અભિષેકને પડતો મૂકવા ન માંગે તો તે તિલકની જગ્યાએ સંજુ સેમસનને લાવી શકે છે.
વોશિંગ્ટન સુંદર
વોશિંગ્ટન સુંદરને સાઉથ આફ્રિકા સામે તક મળી, પરંતુ તેણે બધાને નિરાશ કર્યા. તે વિકેટ લેવામાં નિષ્ફળ ગયો અને બેટિંગમાં પણ તેનું યોગદાન ખાસ નહતું રહ્યું. આવી સ્થિતિમાં, વાઈસ-કેપ્ટન અક્ષર પટેલને ઝિમ્બાબ્વે સામેની મેચમાં ફરીથી રમવાની તક મળી શકે છે અને સુંદરને બહાર રાખી શકાય છે.
રિંકુ સિંહ
રિંકુ સિંહ ફિનિશર તરીકે રમી રહ્યો છે, પરંતુ તેનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. છેલ્લી 5 મેચમાં રિંકુએ ફક્ત 24 રન બનાવ્યા છે. શુભમન ગિલ T20 ટીમમાં પાછો ફર્યો ત્યારે, સંજુને નીચલા મધ્યમ ક્રમમાં રમવાની તક આપવામાં આવી હતી. જો ટીમ ઈન્ડિયા ટોપ ઓર્ડરમાં ફેરફાર નથી કરવા માંગતી, તો તે રિંકુને પડતો મૂકીને સંજુને તક આપી શકે છે.
હાર બાદ ટીમ ઈન્ડિયાનો સેમીફાઈનલમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. ભારતની આગામી મેચ ઝિમ્બાબ્વે સામે છે. બંને ટીમો 26 ફેબ્રુઆરીએ એકબીજાનો સામનો કરશે. આ મેચ ચેન્નાઈમાં યોજાશે. આવી સ્થિતિમાં, ટીમમાં એક કે બે ફેરફાર થઈ શકે છે પરંતુ આ ચાર (રિંકુ સિંહ, અભિષેક શર્મા, તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદર) માંથી કોઈપણ એક બહાર થઈ શકે છે.

