Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India's semifinal qualification scenario after lose against South Africa

T20 World Cup 2026 / સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે ભારત? અહીં સમજો સમીકરણ

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે ભારત? અહીં સમજો સમીકરણ
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપના સુપર-8માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 76 રનથી કારમી હાર આપી હતી. ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં અજેય રહ્યા હતા, પરંતુ હવે ભારતને પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયા માટે આ હાર સેમીફાઈનલમાં પહોંચવાનો તેનો માર્ગ અત્યંત મુશ્કેલ બનાવશે. આગામી બે મેચ ટીમ ઈન્ડિયા માટે નોકઆઉટ મેચ જેવી હશે.

App Store

આ મેચમાં ભારતની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી, જેની અસર આગામી મેચો પર થઈ શકે છે. ભારત પર હવે આગામી બંને મેચ જીતવા અને પોતાની રન રેટ સુધારવાનું દબાણ રહેશે. આ હાર ભારતના વર્લ્ડ કપ અભિયાનને અસર કરી શકે છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને અન્ય ટીમો પર આધાર રાખવો પડી શકે છે.

સાઉથ આફ્રિકા સામે ભારતની હાર

આ મેચમાં પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા માટે ડેવિડ મિલરે શાનદાર બેટિંગ કરી અને 35 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. મિલર ઉપરાંત ડેવાલ્ડ બ્રેવિસે 45 અને ટ્રિસ્ટન સ્ટબ્સે 44 રન બનાવ્યા હતા. 188 રનના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો.

ભારત માટે સેમીફાઈનલનું સમીકરણ શું છે?

ભારતને પહેલા તેની આગામી બંને મેચ જીતવી પડશે. આ સિવાય ટીમ ઈન્ડિયાએ બંને મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. ભારત તેની આગામી મેચ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. આવી સ્થિતિમાં, જો ભારત તેની બંને મેચ જીતે અને સાઉથ આફ્રિકા પણ તેની બંને મેચ જીતે, તો ટીમ ઈન્ડિયાના 4 પોઈન્ટ હશે અને સાઉથ આફ્રિકાના 6 પોઈન્ટ હશે, જેનાથી ટીમ ઈન્ડિયા સરળતાથી સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. જો ટીમ ઈન્ડિયા એક પણ મેચ હારી  જાય છે, તો તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

વધુમાં, જો ભારત તેની બંને મેચ જીતે અને સાઉથ આફ્રિકા એક હારી જાય, તો બંને ટીમોના 4-4 પોઈન્ટ હશે. સાઉથ આફ્રિકા જે ટીમ સામે હારે છે તેને બીજી મેચ હારવી પડશે. ઉદાહરણ તરીકે, જો સાઉથ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝ સામે હારે છે અને ભારત તેની સામે જીતે છે, તો ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ મહત્ત્વપૂર્ણ રહેશે. ભારતે આશા રાખવી પડશે કે ઝિમ્બાબ્વે વેસ્ટ ઈન્ડિઝને હરાવે. આ સ્થિતિમાં, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે પાસે 2-2 પોઈન્ટ રહેશે. આ સ્થિતિમાં, ભારત અને સાઉથ આફ્રિકા 4-4 પોઈન્ટ સાથે ક્વોલિફાય થશે.

જો ભારત બીજી મેચ હારી જાય છે, તો તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. ભારતની નેટ રન રેટ હાલમાં -3.8 છે અને તેથી ભારતે તેની આગામી બંને મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. તે પછી જ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકે છે. ભારત 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે અને 1 માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે.