Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rahul Dravid is still sad about these 2 defeats of Team India

રાહુલ દ્રવિડને હજુ પણ છે ટીમ ઈન્ડિયાની આ 2 હારનું દુઃખ, બદલવા માંગે છે મેચનું પરિણામ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2025
લાઇવ ટીવીGoogle News
રાહુલ દ્રવિડને હજુ પણ છે ટીમ ઈન્ડિયાની આ 2 હારનું દુઃખ, બદલવા માંગે છે મેચનું પરિણામ
સોર્સ : Google

ભારતીય ભૂતપૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડ એક ક્રિકેટર તરીકે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ જીતી ચૂક્યો છે. દ્રવિડ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ પણ રહી ચૂક્યો છે, તેની કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. પરંતુ રાહુલ દ્રવિડના મનમાં હજુ પણ કંઈક દુઃખ છે, ટીમ ઈન્ડિયાની બે હાર હજુ પણ તેને દુઃખી કરી રહી છે. આ તે ક્ષણો છે જ્યારે ટીમ ઈન્ડિયા જીતના ઉંબરે ઉભી હતી અને મેચ જીતવાનું ચૂકી ગઈ હતી. આમાંથી એક 1997માં બાર્બાડોસમાં મળેલી હાર છે. બીજી 2003માં રમાયેલી વર્લ્ડ કપ ફાઈનલ છે.

App Store

બાર્બાડોસ ટેસ્ટમાં હાર

રાહુલ દ્રવિડે રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ પર 1997માં વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે ભારત અને કેરેબિયન ટીમ વચ્ચે બાર્બાડોસમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી હતી. આ મેચની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને 120 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ભારતીય ટીમ 80 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

રાહુલ દ્રવિડે કહ્યું કે, "પિચ ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ જો અમે છેલ્લી વિકેટ માટે 50થી 60 રન ઉમેર્યા હોત, તો અમે તે મેચ જીતી શક્યા હોત. આ સાથે, સિરીઝ પણ 1-0થી ભારતના નામે હોત." રાહુલ દ્રવિડે કહ્યું કે તે આખી સિરીઝમાં ઘણો વરસાદ પડ્યો હતો અને ફક્ત એક જ મેચનો નિર્ણય આવ્યો હતો. દ્રવિડે કહ્યું કે, "જો મને તક મળે, તો હું તે મેચનું પરિણામ બદલવા માંગુ છું."

વર્લ્ડ કપ ફાઈનલમાં હાર

રાહુલ દ્રવિડને હજુ પણ દુઃખ પહોંચાડનારી બીજી હાર 2003ની વર્લ્ડ કપ ફાઈનલ છે. દ્રવિડે કહ્યું કે, "ટોસ જીત્યા પછી અમે પહેલા બોલિંગ કરવાનો યોગ્ય નિર્ણય લીધો હતો, કારણ કે વાદળછાયું વાતાવરણ હતું." પરંતુ વિરોધી ટીમનું પ્રદર્શન શાનદાર હતું. ઓસ્ટ્રેલિયા તે ફાઈનલ મેચ 125 રનથી જીતી ગયું. સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ ભારત આ વર્લ્ડ કપ જીતવાનું ચૂકી ગયું હતું.

ટોપિક્સ:rahul dravidteam indiagstv