Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : For the First time Ranji Trophy final will be played on this ground

Ranji Trophy Final / 20 પિચ, 50 હજારની ક્ષમતા... આ મેદાન પર પહેલીવાર રમાશે રણજી ટ્રોફીની ફાઈનલ

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ranji Trophy Final / 20 પિચ, 50 હજારની ક્ષમતા... આ મેદાન પર પહેલીવાર રમાશે રણજી ટ્રોફીની ફાઈનલ
સોર્સ : GSTV

હાલમાં ક્રિકેટ ફેન્સ T20 વર્લ્ડ કપમાં વ્યસ્ત છે, જેમાં રોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. પરંતુ આ દરમિયાન રણજી ટ્રોફી 2025-26ની ફાઈનલ એક ઐતિહાસિક ક્ષણ બનવાની તૈયારીમાં છે, કારણ કે તે પહેલીવાર હુબલીના KSCA સ્ટેડિયમમાં રમાશે. 24 ફેબ્રુઆરી, 2026થી શરૂ થનારી આ પાંચ દિવસીય મેચમાં કર્ણાટક અને જમ્મુ-કાશ્મીરની ટીમો એકબીજાનો સામનો કરશે. આ સ્ટેડિયમને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનનું બીજું ઘર માનવામાં આવે છે, જ્યાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હુબલીમાં KSCA સ્ટેડિયમ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ છે જ્યાં ઘણી યાદગાર મેચ રમાઈ છે.

App Store

હુબલી એક ઐતિહાસિક મેચનું સાક્ષી બનશે

આઠ વખતનું ચેમ્પિયન કર્ણાટક 11 વર્ષ પછી ફાઈનલમાં પહોંચ્યું છે. જ્યારે જમ્મુ-કાશ્મીર માટે આ તેમની પ્રથમ રણજી ટ્રોફી ફાઈનલમાં છે, જે તેના એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ઘરેલુ ક્રિકેટના સૌથી મોટા મંચ પર થશે અને ક્રિકેટ ફેન્સ તેના માટે ખૂબ ઉત્સુક છે.

હુબલીના KSCA સ્ટેડિયમની વિશેષતાઓ

બીજી બાજુ હુબલી સ્ટેડિયમની વાત કરીએ તો આ સ્ટેડિયમ 2012માં બન્યું હતું અને તે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના મોડેલ પર બનાવવામાં આવ્યું છે. તે 16.5 એકરમાં ફેલાયેલું છે, જેમાં આઠ મુખ્ય પિચ, દસ પ્રેક્ટિસ પીચ અને બે કોંક્રિટ પિચનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં અહીં 9 રણજી ટ્રોફી મેચ અને 3 લિસ્ટ-A મેચ રમાઈ છે. આ મેદાન પર ઈન્ડિયા-A અને વેસ્ટ ઈન્ડિઝ-A વચ્ચે એક અનઓફિશિયલ ટેસ્ટ મેચ પણ રમાઈ હતી, જેમાં ચેતેશ્વર પૂજારાએ ત્રેવડી સદી ફટકારી હતી. તે કર્ણાટક પ્રીમિયર લીગમાં હુબલી ટાઈગર્સનું હોમ ગ્રાઉન્ડ પણ છે.

સ્ટેડિયમની ક્ષમતા 50,000 હોવાનું કહેવાય છે. જોકે, કાયમી સ્ટેન્ડમાં છાંયડાના અભાવને કારણે, દરેક મેચ માટે કામચલાઉ સ્ટેન્ડ અને પંડાલ બનાવવામાં આવે છે જેથી હજારો ફેન્સ આરામથી મેચ જોઈ શકે. ફાઈનલ માટે પિચ માટેની તૈયારીઓ ગયા અઠવાડિયાથી ચાલી રહી હતી, જેમાં બેંગલુરુથી ગ્રાઉન્ડમેન અને 10થી વધુ સ્ટાફ સભ્યો કામ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સુરક્ષા અને માળખાગત સુવિધાઓના અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે ફાઈનલ હુબલી ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.