Recipe : ઉનાળાની ગરમીમાં એસિડિટી અને અપચાથી મેળવો રાહત: ઘરે માત્ર 5 મિનિટમાં બનાવો ઠંડુ-ઠંડુ જલજીરા

સોર્સ : gstv
જલજીરા માત્ર એક ડ્રિંક નથી, પરંતુ પેટ માટે જાદૂઈ ઔષધી જેવી અસર કરે છે. તેમાં રહેલા ફુદીના, શેકેલુ જીરુ અને કાળું મીઠું પેટની ગરમી શાંત કરે છે અને ખોરાક ઝડપથી પચાવવામાં મદદ કરે છે. બહાર મળતા કેમિકલવાળા મોંઘા કોલ્ડ ડ્રિંક્સ કરતાં ઘરેલું કુદરતી અને હેલ્ધી જલજીરા અનેક ગણું સારું છે. સૌથી ખાસ વાત એ છે કે તેને બનાવવામાં ફક્ત 5 મિનિટ લાગે છે. અહીં જાણો તેની સરળ રેસીપી.
જલજીરા બનાવવા માટે જરૂરી સામગ્રી
તાજો ફુદીનો – અડધો કપ (સારી રીતે ધોઈેલું)
લીલા ધાણા – થોડું (ફુદીના કરતાં અડધું)
લીંબુનો રસ – 2 મોટા ચમચી
શેકેલુ જીરુ પાઉડર – 1 ચમચી
કાળું મીઠું – 1 નાનું ચમચી (સ્વાદ મુજબ)
આદુ – અડધો ઇંચનો ટુકડો
ખાંડ અથવા ગોળ – 1 ચમચી (ખાટું-મીઠું સ્વાદ માટે)
ઠંડું પાણી અને બરફના ટુકડા – 2 ગ્લાસ
રાયતા વાળી બૂંદી – ગાર્નિશ માટે
જલજીરા બનાવવાની સરળ રીત
- સૌપ્રથમ મિક્સરના જારમાં ફુદીનો, લીલું ધાણા, આદુ, કાળું મીઠું, શેકેલુ જીરુ પાઉડર અને ખાંડ ઉમેરો. તેમાં 2-3 ચમચી પાણી ઉમેરીને બરાબર પીસી લો અને બારીક ચટણી તૈયાર કરો.
- હવે આ તૈયાર પેસ્ટને એક મોટા જગમાં નાખો. તેમાં 2 ગ્લાસ એકદમ ઠંડું પાણી અને લીંબુનો રસ ઉમેરીને ચમચીથી સારી રીતે મિક્સ કરો.
- જો તમને બજાર જેવું એકદમ સાફ જલજીરા જોઈએ તો તેને છણણીથી ગાળી શકો છો. જોકે, ગાળ્યા વગર પીવાથી તેમાં રહેલા પાનનો ફાઇબર પણ શરીરને મળે છે, જે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.
- હવે ગ્લાસમાં થોડા બરફના ટુકડા નાખો. ઉપરથી તૈયાર જલજીરા ઉમેરો અને અંતમાં થોડી કરકરી બૂંદી તથા પુદીના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરો.
- લોજી, તમારું ટેસ્ટી જલજીરા તૈયાર છે. બપોરે ભારે ભોજન પછી અથવા તડકામાંથી ઘરે આવ્યા પછી પીશો તો તરત જ તાજગીનો અનુભવ થશે. આ માત્ર તરસ જ બુઝાવશે નહીં, પરંતુ પેટને પણ “ઠંડું-ઠંડું કૂલ-કૂલ” રાખશે. આ ઉનાળે જલજીરા પીવો અને પેટની સમસ્યાઓને બાય-બાય કહો.

