Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Your phone is dirtier than a toilet seat!

Health News/ VIDEO : ટોયલેટ સીટ કરતાં પણ વધુ ગંદો છે તમારો ફોન! આ રીતે કરો સેનિટાઈઝ, નહીં તો પડી જશો બીમાર

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજના સમયમાં મોબાઈલ ફોન લોકોની જિંદગીનો સૌથી મહત્વનો હિસ્સો બની ગયો છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી લોકો સતત પોતાના ફોનનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો તો ટોયલેટમાં પણ ફોન લઈને જતા હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો એ વાત પર ધ્યાન આપે છે કે મોબાઈલ ફોનની સ્ક્રીન અને કવર પર મોટી માત્રામાં બેક્ટેરિયા અને કીટાણુઓ જમા થઈ શકે છે. કેટલાય સંશોધનોમાં આ વાત સામે આવી ચૂકી છે કે મોબાઈલની સપાટી પર ટોયલેટ સીટ કરતાં પણ વધુ બેક્ટેરિયા જોવા મળી શકે છે. આ જ કારણે નિષ્ણાતો સમયાંતરે મોબાઈલને સાચી રીતે સાફ અને સેનિટાઈઝ કરવાની સલાહ આપે છે.

App Store

મોબાઈલ ફોન કેમ ગંદો થઈ જાય છે?

હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો, મોબાઈલ ફોન આખો દિવસ આપણા હાથ, ચહેરો, બેગ, ખિસ્સા અને અન્ય ઘણી જગ્યાઓના સંપર્કમાં રહે છે. ઘણા લોકો જમતી વખતે પણ ફોનનો ઉપયોગ કરે છે, જેના કારણે તેના પર તેલ, પરસેવો અને ગંદકી જમા થવા લાગે છે. આ સિવાય ફોનને વારંવાર અડવાથી બેક્ટેરિયા સ્ક્રીન અને કવર પર ચોંટી જાય છે. જો ફોનની નિયમિત સફાઈ કરવામાં ન આવે, તો આ બેક્ટેરિયા હાથ દ્વારા શરીરમાં પહોંચી શકે છે. તેથી ફોનને લઈને પણ જાગૃત થવાની જરૂર છે.

મોબાઈલ સાફ કરતા પહેલા શું કરવું?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મોબાઈલ સાફ કરતા પહેલા તેને સ્વિચ ઓફ કરી દેવો જોઈએ અને ચાર્જર કે અન્ય એક્સેસરીઝ અલગ કરી દેવી જોઈએ. આનાથી સફાઈ દરમિયાન ફોનને નુકસાન થવાનું જોખમ ઓછું રહે છે. ફોન સાફ કરવા માટે હંમેશા નરમ માઈક્રોફાઈબર કાપડ (Microfiber Cloth)નો ઉપયોગ કરવો વધુ સારો માનવામાં આવે છે, કારણ કે ખરબચડા કપડા સ્ક્રીન પર સ્ક્રેચ પાડી શકે છે. મોબાઈલને સાફ કરવા માટે 70 ટકા આઈસોપ્રોપીલ આલ્કોહોલ (Isopropyl Alcohol) ધરાવતા વાઈપ્સ અથવા હળવા સેનિટાઈઝરનો ઉપયોગ સુરક્ષિત માનવામાં આવે છે.

ફોનને કઈ રીતે સેનિટાઈઝ કરવો?

મહત્વની ટીપ: એક્સપર્ટ્સ સલાહ આપે છે કે સેનિટાઈઝરને ક્યારેય સીધું ફોન પર સ્પ્રે ન કરવું જોઈએ. તેના બદલે કપડા પર હળવું સેનિટાઈઝર લગાવીને સ્ક્રીન અને બોડીને ધીમે-ધીમે સાફ કરવી જોઈએ. આનાથી કીટાણુઓ નાશ પામે છે.

બહુ વધારે પાણી કે તીવ્ર કેમિકલનો ઉપયોગ ફોનને નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકો માત્ર ફોનની સ્ક્રીન સાફ કરે છે, પરંતુ કવર અને ઈયરફોનની સફાઈ ભૂલી જાય છે, જ્યારે સૌથી વધુ ગંદકી આના પર જ જમા થાય છે. સિલિકોન કે પ્લાસ્ટિકના કવરને હળવા સાબુ અને પાણીથી સાફ કરી શકાય છે. જ્યારે ઈયરફોનને સૂકા કપડા કે કોટન સ્વેબ (રૂની સળી) વડે ધીમે-ધીમે સાફ કરવા જોઈએ. નિયમિત સફાઈ રાખવાથી બેક્ટેરિયાના ચેપનું જોખમ ઘટાડી શકાય છે.

નોંધ : આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.