Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Want to control diabetes news

Health Tips: ડાયાબિટીસને નિયંત્રિત કરવા માંગો છો? આજથી આ સફેદ વસ્તુઓથી દૂર રહો

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips: ડાયાબિટીસને નિયંત્રિત કરવા માંગો છો? આજથી આ સફેદ વસ્તુઓથી દૂર રહો
સોર્સ : Gstv news

છેલ્લા કેટલાક વર્ષોમાં સમય સાથે લોકોની ખાવાની આદતો અને જીવનશૈલીમાં ઘણો ફેરફાર થયો છે. જીવન અને કામની દોડધામને કારણે તણાવ વધે છે. આવી સ્થિતિમાં માનવ શરીરમાં અનેક પ્રકારના રોગો પ્રવેશ કરે છે. આવી જ એક બીમારી ડાયાબિટીસ છે, જેને લોકો સામાન્ય રીતે સુગરનો રોગ કહે છે. હવે તેનો સીધો સંબંધ આપણી ખાવાની આદતો સાથે છે. તેમજ વરસાદની ઋતુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો પાસેથી જાણીશું કે શું ખાવું અને શું ન ખાવું...

App Store

ડાયાબિટીસ વિશેની ધારણાઓ બદલો

નિષ્ણાત ડોક્ટરે કહે છે સૌ પ્રથમ ડાયાબિટીસ વિશેની ધારણા બદલવી જોઈએ. લોકો માને છે કે જો કોઈને આ રોગ હોય તો જીવન સમાપ્ત થઈ ગયું છે, પરંતુ એવું નથી. આ પણ એક સામાન્ય રોગ જેવું છે, જેને જીવનશૈલી બદલીને નિયંત્રિત કરી શકાય છે. જો કોઈ બેદરકાર રહેશે તો નુકસાન થશે.

આ જ કારણ છે કે ડાયાબિટીસ થાય છે

ડોક્ટરે જણાવ્યું કે આ રોગ ઇન્સ્યુલિનના અભાવે થાય છે. આ ઇન્સ્યુલિન એક હોર્મોન છે, જે સ્વાદુપિંડ નામની ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. જ્યારે સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટાડે છે અથવા બંધ કરે છે, ત્યારે શરીરમાં સુગરનું સ્તર વધે છે. ઇન્સ્યુલિન એકમાત્ર વસ્તુ છે જે સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે કામ કરે છે.

સફેદ ખોરાક ટાળો

ડોક્ટરના મતે, સફેદ ખોરાક ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે. તેમાં ખાંડ અને મીઠું શામેલ છે. ઉપરાંત દૂધ અને દૂધના ઉત્પાદનો જેમ કે પનીર, દહીં, ઘી હાનિકારક હોય છે.

વરસાદના દિવસોમાં આ ખાદ્ય પદાર્થોનું સેવન ફાયદાકારક

સુગરના દર્દીઓએ ભોજનની શરૂઆતમાં સલાડ લેવું જોઈએ. તેમાં કાકડી, ટામેટા અને બીટ લઈ શકાય છે. નાસ્તામાં ફણગાવેલા ચણા, મગ લઈ શકાય છે. આ ઉપરાંત ભોજનમાં કઠોળ અને લીલા શાકભાજી લઈ શકાય છે. ભાતને બદલે રાગી જેવા બરછટ અનાજ લઈ શકાય છે. ઘઉંના લોટની જગ્યાએ મલ્ટીગ્રેન લોટ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખોરાક લગભગ 5 થી 6 વખત ખાવો જોઈએ.

વ્યસનથી દૂર રહેવા માટે કસરત જરૂરી

ડોક્ટરના મતે રોગોથી દૂર રહેવા માટે કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવું જોઈએ. ઉપરાંત વ્યક્તિએ નિયમિત યોગ અને કસરત કરવી જોઈએ.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.