VIDEO: ઉત્તરાખંડમાં આકાશી આફત: કેદારનાથ યાત્રા રોકાઈ, 850 શ્રદ્ધાળુઓ ફસાયા
ઉત્તરાખંડમાં સતત પડી રહેલા મુસળધાર વરસાદે (Heavy Rainfall) પહાડોથી લઈને મેદાની વિસ્તારો સુધી વિનાશ વેરવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં ઠેર-ઠેર ભૂસ્ખલન (Landslide) અને પહાડો પરથી ધોધમાર આવેલ મલબાને કારણે પ્રસિદ્ધ કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) અટકાવી દેવામાં આવી છે. આ આકાશી આફતના કારણે હાલ અલગ-અલગ વિસ્તારોમાં અંદાજે 850 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં નાની-મોટી મળીને કુલ 91 રસ્તાઓ (Roads) બંધ થઈ ગયા છે.
કેદારનાથ હાઈવે પર ક્યાં અટક્યો વાહનવ્યવહાર?
કેદારનાથ હાઈવે પર સોનપ્રયાંગથી ગૌરીકુંડ (Sonprayag to Gaurikund) વચ્ચે અનેક સ્થળોએ પહાડો પરથી મોટા પથ્થરો અને મલબો ખાબક્યો છે.
-
મુનકટિયા વિસ્તાર: અહીં ભારે મલબો આવવાથી માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
-
ગૌરીકુંડ ગેટ: ગેટથી માત્ર 200 મીટર દૂર સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે.
-
પાદયાત્રા માર્ગ: કેદારનાથના પેદલ માર્ગ પર આવેલા છૌડી, જંગલચટ્ટી અને ચીરબાસા પાસે પણ સતત બોલ્ડર (મહાલકાય પથ્થરો) પડી રહ્યા છે.
હાલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેદારનાથથી પરત ફરી રહેલા 600 મુસાફરોને સુરક્ષિત સ્થળોએ રોકી લેવાયા છે, જ્યારે કેદારનાથ તરફ જઈ રહેલા 250 જેટલા યાત્રિકોને સોનપ્રયાંગ ખાતે અટકાવી દેવાયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management) ના અધિકારીઓના જણાવ્યા મુજબ, હવામાન સાફ થયા બાદ જ રસ્તાઓ ખુલ્લા કરી યાત્રા ફરી શરૂ કરાશે.
8 જિલ્લાઓમાં 'ફ્લેશ ફ્લડ' (Flash Flood) ની ચેતવણી
હવામાન વિભાગ (IMD) દ્વારા શુક્રવારે ઉત્તરાખંડના 8 મુખ્ય જિલ્લાઓ માટે અતિભારે વરસાદ અને અચાનક પૂર (Flash Flood) નું રેડ/ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે:
-
દહેરાદૂન (Dehradun)
-
ઉત્તરકાશી (Uttarkashi)
-
ટિહરી (Tehri)
-
પૌડી ગઢવાલ (Pauri Garhwal)
-
રુદ્રપ્રયાગ (Rudraprayag)
-
ચમોલી (Chamoli)
-
બાગેશ્વર (Bageshwar)
-
પિથોરાગઢ (Pithoragarh)
રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે આ તમામ જિલ્લાના કલેક્ટરો (DM) ને સ્ટેન્ડબાય રહીને વધારાની સાવચેતી વર્તવા માટે આદેશ આપ્યા છે.
વિવિધ વિસ્તારોમાં હોનારત અને જાનમાલનું નુકસાન
-
દહેરાદૂનમાં બે સગી બહેનોના મોત: દહેરાદૂનના ક્લેમેન્ટાઉન વિસ્તારમાં વરસાદના કારણે ઉભરાયેલા નાળામાં તણાઈ જવાથી 7 વર્ષીય લક્ષ્મી અને 3 વર્ષીય સોનાક્ષી નામની બે બાળકીઓના દર્દનાક મોત નીપજ્યા છે.
-
હરિદ્વારમાં કારો તળાઈ: હરિદ્વારની સૂકી નદીમાં અચાનક પૂર આવતા નદી કિનારે પાર્ક કરેલી બે કાર તણાઈ ગઈ હતી, જેને બાદમાં દોરડા વડે બહાર કાઢવામાં આવી હતી.
-
જ્યોતિર્મઠનું કિમાણા ગામ ભય હેઠળ: કિમાણા ગામ નજીક આખી પહાડી ધસી પડતા 7 ઘરોમાં ગારા અને મલબો ઘૂસી ગયો છે. ગામનો સંપર્ક માર્ગ કપાઈ ગયો છે અને પીવાના પાણીની પાઈપલાઈન (Drinking Water Line) તૂટી જવાથી પીવાના પાણીનું ભારે સંકટ સર્જાયું છે.
-
યમુનોત્રી હાઈવે (Yamunotri Highway) થયો પ્રભાવિત: સ્યાનાચટ્ટી અને રાનાચટ્ટી વચ્ચે જમીન ધસી પડવાના (Soil Erosion) લીધે મોટા વૃક્ષો હાઈવે પર ધરાશાયી થયા હતા, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો.
તંત્ર દ્વારા તમામ નાગરિકો અને શ્રદ્ધાળુઓને બિનજરૂરી પ્રવાસ ન કરવા અને હવામાન વિભાગની સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

