Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Motion against Speaker Om Birla rejected by voice vote in Lok Sabha

VIDEO : સ્પીકર વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી રદ, વિપક્ષની બબાલ વચ્ચે મતદાન

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : SANSAD TV

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટેનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી રદ થયો છે. કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદ દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવ પર બે દિવસ સુધી ગહન ચર્ચા ચાલી હતી. ચર્ચાના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકાર પક્ષે જવાબ આપ્યો હતો, જેનાથી નારાજ થઈને વિપક્ષી સાંસદોએ ગૃહના વેલમાં આવીને ભારે સૂત્રોચ્ચાર અને હંગામો શરૂ કર્યો હતો. વિપક્ષની બબાલ વચ્ચે ધ્વનિ મતથી અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો. 

App Store

પીઠાસીન અધિકારીએ નોંધ્યું હતું કે પ્રસ્તાવ લાવનાર પક્ષ જ હવે ચર્ચા આગળ વધારવા માંગતો નથી, તેથી તેમણે પ્રસ્તાવ પર ધ્વનિ મત લેવાની જાહેરાત કરી હતી. મતદાનમાં બહુમતિ ન મળતાં અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જગદંબિકા પાલે લોકસભાની કાર્યવાહી બીજા દિવસ સુધી સ્થગિત રાખવાની જાહેરાત કરી હતી.

આ પ્રસ્તાવ પર ચર્ચા માટે કુલ 10 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેની શરૂઆત કોંગ્રેસના તરુણ ગોગોઈ દ્વારા કરવામાં આવી હતી. ભાજપ તરફથી સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ પ્રથમ વક્તા રહ્યા હતા. ચર્ચાના અંતે જ્યારે ગૃહમંત્રીએ જવાબ આપ્યો, ત્યારે વિપક્ષે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. પીઠાસીન અધિકારી જગદંબિકા પાલે સભ્યોને શાંત રહેવા અને પોતાની બેઠક પર જવા વારંવાર અપીલ કરી હતી, પરંતુ હંગામો શાંત ન થતાં અંતે પ્રસ્તાવને સીધો મતદાન માટે લેવામાં આવ્યો હતો.