VIDEO: 'મારે સંસદ માર્ચમાં જવું છે, ડિસ્ચાર્જ કરો': સોનમ વાંગચુકનો હોસ્પિટલને પત્ર
લદાખના જાણીતા સામાજિક કાર્યકર્તા (Social Activist) સોનમ વાંગચુક અને દિલ્હીના તંત્ર વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. રાજધાનીની સફદરજંગ હોસ્પિટલમાં (Safdarjung Hospital) દાખલ સોનમ વાંગચુકે હોસ્પિટલ પ્રશાસનને એક પત્ર લખીને તાત્કાલિક ડિસ્ચાર્જ (Discharge) કરવાની માંગ કરી છે. તેમણે પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ હવે સંપૂર્ણ સ્વસ્થ અનુભવી રહ્યા છે અને તેમને આજે યોજાનારા 'સંસદ માર્ચ' (Parliament March) કાર્યક્રમમાં સામેલ થવા માટે જવાની મંજૂરી આપવામાં આવે.
'મારા સ્વાસ્થ્યના તમામ પેરામીટર્સ સામાન્ય છે'
હોસ્પિટલ પ્રશાસનને મોકલેલી ચિઠ્ઠીમાં વાંગચુકે લખ્યું છે, "હું આપને જણાવવા માંગુ છું કે આજે હું ખૂબ જ સારું અનુભવી રહ્યો છું અને મારા વાઇટલ પેરામીટર્સ (Vital Parameters) પણ બિલકુલ સામાન્ય છે. તેથી મારી આપને નમ્ર વિનંતી છે કે મને હોસ્પિટલમાંથી જવાની મંજૂરી આપવામાં આવે—ભલે અમુક સમય માટે જ— જેથી હું આજે યોજાનાર 'સંસદ ચલો' (Samsad Chalo) માર્ચમાં ભાગ લઈ શકું."
તેમણે આ પત્રની નકલ પોતાના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ X (અગાઉનું Twitter) પર પણ શેર કરી છે. તેમના તરફથી પોસ્ટમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, "જો વાંગચુકનું સ્વાસ્થ્ય સુધરી ગયું છે અને હોસ્પિટલ પ્રશાસન એવો દાવો કરતું હોય કે તેઓ કસ્ટડીમાં (Custody) નથી, તો પછી તેમના પર આટલા બધા પ્રતિબંધો (Restrictions) શા માટે લાદવામાં આવી રહ્યા છે?"
હોસ્પિટલનું હેલ્થ બુલેટિન: નિષ્ણાતોની ટીમ સતત વોચ પર
બીજી તરફ, સફદરજંગ હોસ્પિટલ અને AIIMS નવી દિલ્હીના તબીબોની સંયુક્ત ટીમ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં (Health Bulletin) અલગ જ દાવો કરવામાં આવ્યો છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર, સોનમ વાંગચુકને મલ્ટી-ડિસિપ્લિનરી સ્ટાફ (Multi-disciplinary Team) હેઠળ તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
તબીબોનું કહેવું છે કે ભલે તેમના વાઇટલ સ્ટેબલ (Vitals Stable) હોય, પરંતુ તેમના બ્લડ પેરામીટર્સ (Blood Parameters) અને અન્ય ક્લિનિકલ કંડિશન (Clinical Condition) પર ઝીણવટભરી નજર રાખવી અત્યંત જરૂરી છે. કોઈપણ સંભવિત તબીબી જટિલતાઓને (Complications) રોકવા માટે તેમને સતત નિરીક્ષણ (Continuous Monitoring) હેઠળ રાખવામાં આવ્યા છે.

