Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Drink less alcohol, we have to mix ethanol in petrol: Manishankar Iyer's 22-year-old video

VIDEO: દારૂ ઓછો પીવો, અમારે પેટ્રોલમાં એથેનોલ ભેળવવું છે: મણિશંકર અય્યરનો 22 વર્ષ જૂનો વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ?

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારત સરકાર દ્વારા દેશભરમાં પેટ્રોલમાં ૨૦ ટકા એથેનોલ મિશ્રણ (Ethanol Blending) કરવાના નિર્ણય એટલે કે E20 પેટ્રોલ નીતિ સામે હાલ વાહન ચાલકોમાં ભારે હોબાળો મચી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે લોકો તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન, મનમોહન સિંહ સરકારમાં પેટ્રોલિયમ મંત્રી રહી ચૂકેલા મણિશંકર અય્યરનો (Mani Shankar Aiyar) સંસદમાં આપેલો એક ૨૨ વર્ષ જૂનો ભાષણનો વીડિયો (Viral Video) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૫ના આ વીડિયોમાં તેઓ એથેનોલ અને દારૂના કનેક્શન પર રસપ્રદ ટિપ્પણી કરતા જોવા મળે છે.

App Store

જૂના વીડિયોમાં શું છે મણિશંકર અય્યરનું નિવેદન?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી મણિશંકર અય્યર સંસદમાં કહી રહ્યા છે કે, "અગાઉની NDA સરકારે જે કામની ઉપેક્ષા કરી હતી, તે અમે કરવા જઈ રહ્યા છીએ. અમે ભારતીય સુગર મિલ એસોસિએશન (Sugar Mills) સાથે વાતચીત કરી છે અને ખાતરી આપી છે કે પેટ્રોલમાં એથેનોલનું મિશ્રણ કરવામાં આવશે. જો એથેનોલની ઉપલબ્ધતા વધશે, તો અમે તેનો ઉપયોગ હજુ પણ વધારીશું."

તેમણે સંસદ સભ્યોને સંબોધતા હળવા અંદાજમાં ઉમેર્યું હતું કે, "માનનીય સભ્યોએ એ ન ભૂલવું જોઈએ કે એથેનોલ એક બાય-પ્રોડક્ટ (By-product) છે. પેટ્રોલિયમ ક્ષેત્રમાં આપણે તેના ગ્રાહક છીએ. તેથી પહેલા દેશમાં દારૂ પીવાનું ઓછું કરો, કારણ કે એથેનોલનો મોટો જથ્થો પહેલા દારૂ બનાવવામાં (Alcohol Production) વપરાઈ જાય છે. ત્યાંથી જે બચે છે, તે અમારી પાસે પહોંચે છે."

E20 પેટ્રોલ પર કેમ મચ્યો છે હોબાળો?

કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ક્રૂડ ઓઈલની આયાત (Crude Oil Imports) પરની નિર્ભરતા ઘટાડવાનો અને પ્રદૂષણ નિયંત્રિત કરવાનો છે. જોકે, કાર અને બાઇક માલિકોનો દાવો છે કે પેટ્રોલમાં એથેનોલનું પ્રમાણ વધવાને કારણે વાહનોના એન્જિન અને પેટ્રોલની ટાંકીને નુકસાન (Engine Damage) થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો શેર કરીને લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

આ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને (Supreme Court) જણાવ્યું છે કે પેટ્રોલમાં ૨૦ ટકા એથેનોલ મિશ્રણ કરવાની નીતિ હજુ પણ એક પ્રાયોગિક તબક્કામાં (Experimental Stage) છે. આ નીતિની વાસ્તવિક અસરો આગામી વર્ષ સુધીમાં વધુ સ્પષ્ટ થશે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના એક આદેશ સામે ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા દાખલ કરાયેલી અરજી પર નોટિસ જારી કરીને યથાસ્થિતિ (Status Quo) જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

ભવિષ્યમાં હાઇડ્રોજનથી ચાલશે વાહનો: નિતિન ગડકરી

બીજી તરફ, આ ઈંધણ વિવાદ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ (Nitin Gadkari) એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં જ દેશના રસ્તાઓ પર હાઇડ્રોજનથી ચાલતી (Hydrogen-powered) બસો અને ટ્રકો દોડતી જોવા મળશે. તેમણે દાવો કર્યો કે તેઓ પોતે પણ ઇલેક્ટ્રિક, ફ્લેક્સ-ફ્યુઅલ અને હાઇડ્રોજન કારનો ઉપયોગ કરે છે અને તેમનો હાઇડ્રોજન કાર ચલાવવાનો અનુભવ મર્સિડીઝ (Mercedes) કાર કરતાં પણ ઘણો સારો રહ્યો છે. સરકાર હવે ખાનગી વાહનોથી આગળ વધીને કોમર્શિયલ વાહનોમાં ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.