Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Donation of ₹4 crore in the court of Ram Lalla with special condition, but only ₹3 in the account of the payee of the cheque, the matter got heated

VIDEO: ખાસ શરત સાથે રામલલાના દરબારમાં ₹4 કરોડનું દાન, પણ ચેક આપનારના ખાતામાં માત્ર ₹3, મામલો ગરમાયો

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અયોધ્યાના રામ મંદિર (Ram Mandir) સાથે જોડાયેલા ₹4 કરોડના ચેકના મામલે નવો વળાંક આવ્યો છે. ચેન્નાઈથી અયોધ્યા દર્શન માટે આવેલી એક મહિલા શ્રદ્ધાળુએ રામલલાની સેવા માટે ₹10 હજારનું દાન આપવાની સાથે રામ મંદિર ટ્રસ્ટને કર્મચારીઓની સુવિધાઓ માટે ₹4 કરોડનો ચેક આપ્યો હતો. જોકે, ટ્રસ્ટે ચેક પોતાના બેંક ખાતામાં જમા કરાવતા પહેલાં તેની તપાસ કરાવી તો જે ખાતામાંથી ચેક આપવામાં આવ્યો હતો, તેમાં માત્ર ₹3નું બેલેન્સ હોવાનું સામે આવ્યું છે.

App Store

₹4 કરોડના દાન સાથે રાખી હતી ખાસ શરત

મહિલા શ્રદ્ધાળુ એસ. નાગ લક્ષ્મીએ ₹4 કરોડનો ચેક આપતી વખતે ખાસ શરત મૂકી હતી. તેમની ઈચ્છા હતી કે આ રકમનો ઉપયોગ માત્ર રામ મંદિર (Ayodhya Ram Temple)માં કામ કરતા કર્મચારીઓની સુવિધાઓ અને કલ્યાણ માટે કરવામાં આવે.

આ ઉપરાંત તેમણે રામ મંદિર ટ્રસ્ટ પાસેથી આ અંગે લખિત ખાતરી (Written Assurance) પણ માંગી હતી. ટ્રસ્ટના વચગાળાના મહાસચિવ કૃષ્ણ મોહને જણાવ્યું હતું કે આ પ્રકારનું સશર્ત દાન ટ્રસ્ટ માટે પોતાની રીતે પહેલું ઉદાહરણ છે.

ટ્રસ્ટે લખિત ખાતરી આપવાનો કર્યો ઈનકાર

ટ્રસ્ટના નિયમો અને બાયલોઝ (Bylaws) અનુસાર દાનમાં મળેલી રકમ માત્ર કર્મચારીઓ પાછળ જ ખર્ચવામાં આવે તેવો કોઈ ચોક્કસ નિયમ હાલ ઉપલબ્ધ નથી. તેથી ટ્રસ્ટે મહિલાને આવી શરત અંગે લખિત ખાતરી આપવાનો ઈનકાર કર્યો હતો.

તેમ છતાં મહિલાએ ₹4 કરોડનો ચેક પરત લીધો નહોતો અને તે ટ્રસ્ટ પાસે જ રહ્યો હતો. ત્યારબાદ ચેક જે બેંક ખાતામાંથી આપવામાં આવ્યો હતો તેની વિગતોની તપાસ કરવામાં આવી હતી.

ખાતામાં માત્ર ₹3નું બેલેન્સ મળ્યું

તપાસ દરમિયાન સામે આવ્યું કે સંબંધિત બેંક ખાતામાં માત્ર ₹3નું ન્યૂનતમ બેલેન્સ છે. આ સ્થિતિને કારણે હવે ચેકની રકમ અંગે સવાલો ઊભા થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટ્રસ્ટ તરફથી લખિત ખાતરી ન મળવાને કારણે મહિલાએ સંબંધિત ખાતામાં ₹4 કરોડની પૂરતી રકમ જમા કરાવી ન હોય.

હાલ રામ મંદિર ટ્રસ્ટ આ ચેક અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા મહિલાએ મૂકેલી શરતો અને તેના આધારે આગળ શું વ્યવસ્થા કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

શરતો સ્વીકારવામાં આવે તો રકમ મળવાની શક્યતા

જો ટ્રસ્ટની કાર્યકારિણી (Executive Committee) આ મુદ્દે કોઈ યોગ્ય વ્યવસ્થા નક્કી કરે અને મહિલાની શરતો પૂરી કરવાની શક્યતા ઊભી થાય, તો સંબંધિત ખાતામાં દાનની રકમ જમા થઈ શકે છે.

મળતી માહિતી મુજબ, મહિલા પોતાના ગ્રુપ સાથે અયોધ્યાના ઋણમોચન ઘાટ વિસ્તારમાં આવેલા અંમ્માજી મંદિર (રામાસ્વામી ટેમ્પલ)માં રોકાઈ હતી અને ત્યારબાદ પોતાના ગ્રુપ સાથે પરત ફરી ગઈ હતી.

આ સમગ્ર મામલે હવે સૌની નજર રામ મંદિર ટ્રસ્ટના આગામી નિર્ણય પર છે કે ₹4 કરોડના આ સશર્ત દાન અંગે અંતે શું નિર્ણય લેવામાં આવે છે.