VIDEO: પંચમહાલના બામરોલી ગામે આદિવાસી યુવા નેતા ચૈતર વસાવાએ સરકાર સામે કર્યા પ્રહારો
સોર્સ : GSTV
VIDEO: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામે આપના ધારાસભ્ય અને આદિવાસી સમાજના યુવાનેતા ચૈતર વસાવાએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા.
ચૈતર વસાવાએ કાર્યક્રમમાં હાજર રહી તેમને સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમને જણાવ્યું કે, આદિવાસી સમાજને થતા અન્યાયને લઈને સરકારે માંગણી સ્વીકારવી જોઈએ. આદિવાસી સમાજને પોતાની મૂળ સંસ્કૃતિ તરફ જવાની હાકલ કરી હતી.

