VIDEO: ઉત્સાહપૂર્ણ માહોલમાં રથયાત્રા સપન્ન; ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા, આજે ગર્ભગૃહમાં બિરાજશે ભગવાન

Ahmedabad Rath Yatra 2026: અમદાવાદમાં સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા હતા અને નગરજનોને અલૌકિક દર્શન આપ્યા હતા. રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે. નગરચર્યા બાદ રાત્રે 10 વાગ્યે ભગવાન જગન્નાથ સહિત ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા હતા. જે બાદ આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. આમ શાંતિ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં 149મી રથયાત્રા સપન્ન થઈ હતી. રથયાત્રાનો સમગ્ર રૂટ 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શણગારેલા ગજરાજ, ભજન મંડળી અને અખાડાઓ રથયાત્રાનું આકર્ષણનું કેંદ્ર રહ્યા હતા. મંદિરની અંદર પણ ઢોલ નગારા અને શરણાઇના સૂર ગૂંજ્યા હતા.
આખી રાત મંદિરના પ્રાંગણમાં જ બિરાજશે ભગવાન
રથયાત્રા દરમિયાન ભગવાન નગરચર્યા કરીને ભક્તોને દર્શન આપે છે. પરંપરા મુજબ રથયાત્રા પૂર્ણ થયા બાદ રથો મંદિર પરત આવે છે, પરંતુ ભગવાનને તરત જ ગર્ભગૃહમાં લઈ જવામાં આવતા નથી. રથયાત્રા પૂર્ણ થયા બાદની રાત્રે ભગવાન મંદિરના પ્રાંગણમાં જ વિશ્રામ કરે છે અને બીજા દિવસે શુભ મુહૂર્તે તેમને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવે છે.
30 હજાર સુરક્ષાકર્મીઓએ ખડેપગે બજાવી ફરજ
પોલીસ બંદોબસ્તમાં 10 DIG/IG, 42 SP/DCP, 93 ACP, 303 PI, 673 PSI સહિત 1100થી વધુ પોલીસ અધિકારીઓ અને 30 હજાર પોલીસકર્મીઓ, હોમગાર્ડ , SRPની ટુકડીઓ, 5 RAF, અને પેરામિલેટરી ફોર્સ પણ તૈનાત રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુવિંગ બંદોબસ્ત સંભાળવામાં આવ્યો હતો. આ સાથે છેલ્લા દોઢ માસથી અનેક કાર્યક્રમ દ્વારા પોલીસે કોમી એકતા અને લોકોમાં ભાઈ ચારો વધે તે કામગીરી કરી રથયાત્રાનું સફળતાપૂર્વક સપન્ન કરાવી હતી.
• AMC ઓફિસ
• ઢાળની પોળ
• રાયપુર ચકલા
• ખાડિયા
• કાલુપુર રેલવે સ્ટેશન
• કાલુપુર દરવાજા
• સરસપુર
• પ્રેમ દરવાજા
• દિલ્હી ચકલા
• શાહપુર દરવાજા
• આર.સી. હાઈસ્કૂલ
• ઘી કાંટા
• માણેકચોક
• જગન્નાથજી મંદિર

