Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Big decision of RBI! Even if the EMI is due, the recovery agent cannot threaten or call late at night

RBIનો મોટો નિર્ણય! EMI બાકી હશે તો પણ રિકવરી એજન્ટ ધમકી કે મોડી રાત્રે ફોન નહીં કરી શકે

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
RBIનો મોટો નિર્ણય! EMI બાકી હશે તો પણ રિકવરી એજન્ટ ધમકી કે મોડી રાત્રે ફોન નહીં કરી શકે
સોર્સ : gstv

આરબીઆઈ (RBI) એ લોનની વસૂલાત માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. આનાથી EMI ન ભરી શકતા લોકોને થોડી રાહત મળશે. જો તમે કોઈ કારણસર સમયસર લોનની EMI નથી ભરી શકતા, તો હવે રિકવરી એજન્ટ તમને હેરાન નહીં કરી શકે. આરબીઆઈના નવા નિયમો મુજબ હવે બેંકો અને બીજી ધિરાણ આપનારી કંપનીઓએ લોનની વસૂલાત નક્કી કરાયેલા નિયમો હેઠળ જ કરવી પડશે.

App Store

ગ્રાહકો સાથે વાત કરવા, રિકવરી એજન્ટના વર્તન, ઘરે કે ઓફિસે જઈને મળવા અને ફોન કે અન્ય ડિજિટલ માધ્યમોથી વાત કરવા માટે પણ સ્પષ્ટ દિશા-નિર્દેશો બનાવવામાં આવ્યા છે, જેથી કોઈપણ રીતે લોન લેનાર ગ્રાહક સાથે ખોટું કે હેરાન કરનારું વર્તન ન થાય.

ક્યારથી લાગુ થશે નવા નિયમો?

આરબીઆઈના આ નવા નિયમો 1 જાન્યુઆરી 2027થી લાગુ થશે. પહેલીવાર મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટ જેવા ફાઈનાન્સ પર ખરીદેલા ડિવાઈસ સાથે સંકળાયેલી ડિજિટલ રિકવરી પ્રોસેસને પણ નિયમોના દાયરામાં લાવવામાં આવી છે. એટલે કે હવે આવા કિસ્સાઓમાં પણ બેંક અને ફાઈનાન્સ કંપનીઓએ નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડશે.

રિકવરી એજન્ટ ક્યારે કોલ કરી શકશે?

નવા નિયમો હેઠળ બેંક કે રિકવરી એજન્ટ સામાન્ય રીતે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની વચ્ચે જ ગ્રાહક સાથે વાત કરી શકશે. જો આ સમય સિવાય વાત કરવી હોય, તો તેના માટે ગ્રાહકની અગાઉથી મંજૂરી કે વિનંતી હોવી જરૂરી રહેશે. એટલે કે હવે મોડી રાત્રે કે વહેલી સવારે ફોન કરીને હેરાન કરી શકાશે નહીં.

એજન્ટ ક્યારે હેરાન નહીં કરી શકે?

આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે રિકવરી એજન્ટ કોઈ વ્યક્તિના ઘરમાં શોક, મેડિકલ ઈમરજન્સી કે લગ્ન જેવા ખાસ પારિવારિક પ્રસંગોએ લોન વસૂલાત માટે સંપર્ક કરશે નહીં. આવા સમયે ગ્રાહકોને હેરાન કરવાની મંજૂરી રહેશે નહીં.

ધમકી પર સંપૂર્ણ બ્રેક

આરબીઆઈના નવા નિયમો મુજબ, રિકવરી એજન્ટ લોન વસૂલાત દરમિયાન કોઈ પણ ગ્રાહક સાથે ધમકીભર્યા અંદાજમાં વાત કરી શકશે નહીં. ગાળાગાળી કરવી, ડરાવવું, વારંવાર ફોન કરીને પરેશાન કરવા કે પરિવાર, મિલકત અને ઈજ્જતને લઈને ધમકી આપવી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

સોશિયલ મીડિયા પર બદનામ નહીં કરી શકે

બેંક કે રિકવરી એજન્ટ કોઈ પણ ગ્રાહકના ફોટો, વીડિયો, ઓડિયો કે અંગત માહિતી સોશિયલ મીડિયા પર શેર કરીને તેને બદનામ કરી શકશે નહીં. લોનની વસૂલાત માટે કોઈની અંગત માહિતીનો ખોટો ઉપયોગ કરવો પણ નવા નિયમો હેઠળ પ્રતિબંધિત રહેશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News