'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભી પાછા આવશે? મેકર્સે કરી સ્પષ્ટતા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા ટીવી જગતનો સૌથી ફેવરિટ શો રહ્યો છે. આ શોના મુખ્ય પાત્રો જેઠાલાલ અને દયા ભાભી લોકોના ફેવરિટ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી દયા ભાભી શોમાં જોવા નથી મળ્યા
જેઠાલાલે એકલા હાથે શોની જવાબદારી સંભાળી છે. દિશા વાકાણીના વાપસીને લઈને અવારનવાર ચર્ચાઓ થતી રહે છે, કે તે શોમાં પાછી આવી શકે છે.
શોમાં દયા ભાભીની જગ્યા અન્ય કોઈ અભિનેત્રી લઈ શકી નથી. અનેક ઓડિશન પછી પણ પરફેક્ટ દયાની શોધ પૂર્ણ થઈ શકી નથી.
આવી સ્થિતિમાં હવે શોના મેકર્સ અસિત મોદીએ ખુલાસો કર્યો છે કે દિશા ભાભી શોમાં પરત ફરશે કે નહીં.
દયા ભાભીના વાપસીના મુદ્દા પર વાત કરતા આસિત મોદીએ કહ્યું, 'તમને પાછા લાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે હું પોતે તેમને મિસ કરું છું.ક્યારેક સંજોગો એવા હોય છે કે વિલંબ થાય છે.
શોના નિર્માતાએ કહ્યું, 'હું હજી પણ મારા પ્રયત્નો ચાલુ રાખું છું, પરંતુ હું માનું છું કે દિશા વાકાણીને હવે પરત લાવી શકાય નહીં. તે બે બાળકોની માતા છે.
હું આજે પણ તેના પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ શેર કરું છું. દિશા વાકાણી મારી માત્ર બહેન જ નથી, તે મને રાખડી પણ બાંધે છે. તેના પિતા અને ભાઈ મારા પરિવારનો હિસ્સો છે.
અમે 17 વર્ષથી જોડાયેલા છીએ અને સાથે કામ કર્યું છે. હવે તેના માટે શોમાં પરત આવવું ઘણું મુશ્કેલ છે. સ્ત્રીઓ માટે લગ્ન પછીનું જીવન સાદું નથી હોતું પણ ઘણું બદલાઈ જાય છે.
નાના બાળકો સાથે કામ કરવું અને ઘર સંભાળવું શક્ય નથી. મને હજુ પણ આશા છે અને લાગે છે કે ભગવાન કંઈક ચમત્કાર કરશે અને દિશા શોમાં પરત ફરશે.
અસિત મોદીએ પોતાના જવાબથી તમામ અટકળો અને શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે અને પુષ્ટિ કરી છે કે હાલના સમયમાં આવી કોઈ શક્યતા દેખાતી નથી.
દિશા વાકાણીએ લગ્ન કર્યા બાદ બ્રેક લીધો હતો, પરંતુ તે પછી તે પાછી આવી ગઈ હતી. તેની પ્રથમ પુત્રીને જન્મ આપ્યા પછી, અભિનેત્રી બ્રેક પર ગઈ હતી અને શોમાં પરત ફરી નથી.