આ લોકોએ સરગવાની શીંગો ન ખાવી જોઈએ

સરગવાની શીંગોને આયુર્વેદ અને પોષણ બંનેમાં સુપરફૂડ માનવામાં આવે છે, પરંતુ અમુક પરિસ્થિતિઓમાં તેનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ અથવા બિલકુલ ન કરવું જોઈએ.

આયુર્વેદ નિષ્ણાતે જણાવ્યું હતું કે ભલે તે સુપરફૂડ હોય, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તેનું સેવન ન કરવું જોઈએ. જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છે તેણે સરગવાની શીંગો સેવન ન કરવું જોઈએ.

સરગવામાં એવા ગુણ છે જે બ્લડ પ્રેશર ઘટાડે છે. જેને પહેલાથી જ બ્લડ પ્રેશર ઓછું છે, તેના માટે આ તેના બ્લડ પ્રેશરને વધુ ઘટાડી શકે છે. આવા લોકો સરગવાનું સેવન ઓછી માત્રામાં કરે તો સારું.

સરગવાના સેવનથી ક્યારેક ગેસ અથવા પેટ ફૂલવું જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે. અલ્સર અથવા સંવેદનશીલ પાચનતંત્ર ધરાવતા લોકોને આનાથી બળતરા અથવા એલર્જી થઈ શકે છે.

સરગવો વિટામિન K નો સારો સ્ત્રોત છે, જે લોહી ગંઠાઈ જવામાં મદદ કરે છે. પરંતુ જો તમે લોહી પાતળું કરતી દવાઓ લઈ રહ્યા છો, તો તે દવાની અસર બદલી શકે છે.

સરગવાના મૂળ, છાલ અથવા બીજમાં અમુક તત્વો હોય છે જે ગર્ભાશયને સંકુચિત કરી શકે છે, જેનાથી ગર્ભપાતનું જોખમ વધી શકે છે. તેથી તેને ખાતા પહેલા ચોક્કસપણે તમારા ડૉક્ટરની સલાહ લો.

સરગવાની શીંગો સ્વસ્થ હોઈ શકે છે, પરંતુ બધું જ દરેક માટે નથી હોતું. તેથી પહેલા તેને ઓછી માત્રાથી શરૂ કરો. તમારા સ્વાસ્થ્ય પર તેની અસર મુજબ તેનું સેવન કરો.