આશુતોષ રાણાથી અનુષ્કા શર્મા સુધી, આ ફિલ્મ સ્ટાર્સે લીધા છે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ
લાખો ભક્તો પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે વૃંદાવનની મુલાકાત લે છે.
ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ વૃંદાવનના કેલી કુંજ આશ્રમ પહોંચ્યા છે અને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા છે.
તાજેતરમાં, અભિનેતા આશુતોષ રાણા પ્રેમાનંદ મહારાજને મળવા ગયો હતો અને તેમના દર્શનનો લાભ લીધો હતો.
તેના પહેલા, અનુષ્કા શર્મા પણ આખા પરિવાર સાથે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા માટે પહોંચી હતી. અનુષ્કા અને વિરાટ આ પહેલા પણ તેમના દર્શનનો લાભ લઈ ચૂક્યા છે.
સિંગર બી પ્રાક પણ પ્રેમાનંદ મહારાજને મળ્યો છે, તેણે ત્યાં બેસીને ભજન કર્યું અને પ્રેમાનંદ મહારાજને રાધા નામનો જાપ કરીને સંભળાવ્યો હતો.
અભિનેત્રી અને મથુરાથી સાંસદ હેમા માલિનીએ પણ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા છે.
આ ઉપરાંત, ભોજપુરી અભિનેતા અને સાંસદ રવિ કિશને પણ કેલી કુંજની મુલાકાત લઈ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા છે. આ ઉપરાંત ટીવી અભિનેત્રી રતન રાજપૂત પણ તેમને મળી છે.