આપને જાણીને નવાઈ લાગશે કે 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ધ્વજ ફરકાવવામાં તફાવત રહેલો છે

15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે

26મી જાન્યુઆરીએ પરેડ કરવામાં આવે છે અને દેશના રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવે છે

15 ઓગસ્ટે જ્યારે વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે તો તેને ધ્વજારોહણ (Flag Hoisting) કહેવામાં આવે છે

જ્યારે ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે તેને ઝંડો ફરકાવ્યો (Flag Unfurling) કહેવામાં આવે છે

15 ઓગસ્ટે વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે તે સમયે ધ્વજ પોલના નીચેના ભાગથી ઉપર તરફ જાય છે

26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવતી વખતે ધ્વજ પહેલાથી જ પોલના ઉપરના ભાગે બાંધવામાં આવે છે અને રાષ્ટ્રપતિ તેને ફરકાવે છે