ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં થઈ શિખર ધવનની એન્ટ્રી

ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોવા મળશે. પરંતુ તે ખેલાડી તરીકે નહીં પણ કોઈ અન્ય ભૂમિકામાં જોવા મળશે.

ધવનને ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટનો એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે.

શિખર ધવન ઉપરાંત, સરફરાઝ અહેમદ, શેન વોટસન અને ટિમ સાઉથીને પણ ચેમ્પિયન્સ ટ્રોફીના એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આ ચાર ખેલાડીઓ ટૂર્નામેન્ટ વિશે કોલમ લખશે અને મેચમાં પણ હાજર રહેશે.

ચેમ્પિયન્સ ટ્રોફીનો ભાગ બનવા અંગે ધવને કહ્યું કે આ ટૂર્નામેન્ટ તેના માટે ખૂબ જ ખાસ રહી છે, તેની સાથે તેની ઘણી યાદો જોડાયેલી છે.

તમને જણાવી દઈએ કે ધવન બે વાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ ચૂક્યો છે અને બંને વાર તેને ગોલ્ડન બેટ એવોર્ડ મળ્યો છે. જે એક રેકોર્ડ છે.

ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન, 701 બનાવ્યા છે. 2013માં, તેણે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 2013માં તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ રહ્યો હતો.

છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ટીમ ઈન્ડિયાનો ફાઈનલમાં પાકિસ્તાન સામે પરાજય થયો હતો. આ ટૂર્નામેન્ટ છેલ્લે 2017 માં રમાઈ હતી.

આ વખતે ટીમ ઈન્ડિયા જીતની મોટી દાવેદાર છે. રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે.