લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા.

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત છે.

પીએમ મોદીએ રામલલ્લાની આરતી પણ ઉતારી હતી. અને આર્શિવાદ મેળવ્યા હતા.

પીએમ મોદીએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન બાદ દંડવત પ્રણામ કર્યા હતા.

ચૂંટણી વચ્ચે પીએમ મોદી બે કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.