ભારતમાં, અમુક પસંદગીના અને પ્રભાવશાળી લોકોને ખાસ પ્રકારની સિક્યોરીટી પૂરી પાડવામાં આવે છે, જેને X,Y,Z,Z+ કેટેગરીમાં વહેંચવામાં આવે છે.
શું તમે જાણો છો કે ભારતમાં આ પ્રકારની સિક્યોરીટી કોને અને શા માટે આપવામાં આવે છે? સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને, આ સિક્યોરીટી VVIP અને દેશના અન્ય ક્ષેત્રના લોકોને આપવામાં આવે છે.
સિક્યોરીટીને ઘણી કેટેગરીમાં વહેંચવામાં આવી છે. વ્યક્તિ જે પ્રકારના જોખમનો સામનો કરે છે તેના આધારે સિક્યોરીટી પૂરી પાડવામાં આવે છે.
X કેટેગરીની સિક્યોરીટીમાં, 2 સુરક્ષા ગાર્ડ તૈનાત છે, જેમાંથી એક PSO (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) છે. આ સિક્યોરીટીનું સૌથી નાનું લેવલ છે.
Y કેટેગરીની સિક્યોરીટીમાં કુલ 11 સિક્યોરીટી ગાર્ડ સામેલ છે, જેમાં બે PSO (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) પણ સામેલ છે. આ કેટેગરીમાં કોઈ કમાન્ડો નથી.
Y+ કેટેગરીની સિક્યોરીટીમાં 11 સિક્યોરીટી ગાર્ડ છે. જેમાં 1 અથવા 2 કમાન્ડો અને 2 PSO પણ સામેલ છે.
Z કેટેગરીની સિક્યોરીટીમાં 4થી 5 NSG કમાન્ડો સહિત કુલ 22 સિક્યોરીટી ગાર્ડ તૈનાત છે, જેમાં દિલ્હી પોલીસ, ITBP અથવા CRPF કમાન્ડો અને સ્થાનિક પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ સિક્યુરિટી પછી Z+ એ ભારતની સર્વોચ્ચ સિક્યોરીટી કેટેગરી છે. આ કેટેગરીના ખાસ વ્યક્તિની સુરક્ષામાં 36 સૈનિકો લાગેલા છે. જેમાં દિલ્હી પોલીસ, ITBP અથવા CRPF કમાન્ડો અને રાજ્ય પોલીસકર્મીઓની સાથે 10થી વધુ NSG કમાન્ડો સામેલ છે.
સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) એ હાઈ લેવલની સિક્યોરીટી છે. આ દેશના સૌથી વ્યાવસાયિક અને નવીનતમ સુરક્ષા દળોમાંનું એક છે. તેની શરૂઆત 1985માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કરવામાં આવી હતી. આ સિક્યોરીટી વડાપ્રધાન કે પૂર્વ વડાપ્રધાનને આપવામાં આવે છે.
જો દેશના પ્રતિષ્ઠિત લોકો અને રાજનેતાઓને જીવનું જોખમ હોય તો તેમને આમાંથી એક સિક્યોરીટી આપવામાં આવશે. આ સિક્યોરીટી મંત્રીઓને આપવામાં આવતી સુરક્ષા કરતાં અલગ છે.
આ પ્રકારની સિક્યોરીટી મેળવવા માટે સૌપ્રથમ સરકારને અરજી કરવી પડશે. પછી સિક્યોરીટી એજન્સી સંભવિત જોખમનો અંદાજ લગાવે છે. ધમકીના સ્તરના આધારે સિક્યોરીટી આપવામાં આવે છે.
ગૃહ સચિવ, મહાનિર્દેશક અને મુખ્ય સચિવની સમિતિ નક્કી કરે છે કે સંબંધિત લોકોને કઈ કેટેગરીની સિક્યોરીટી આપવામાં આવશે.
પોલીસની સાથે અનેક એજન્સીઓ VIP અને VVIPને સિક્યોરીટી છે. તેમાં SPG, NSG, ITBP અને CRPFનો સમાવેશ થાય છે. જો કે ખાસ લોકોની સિક્યોરીટીની જવાબદારી NSGના ખભા પર જ છે.