શું ચંદ્ર ખરેખર પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે? દિવસ 25 કલાકનો થશે?

એક અભ્યાસ જણાવે છે કે ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી લગભગ 3.8 સેન્ટિમીટર દૂર જઈ રહ્યો છે, જે આપણા ગ્રહ પરના દિવસની લંબાઈ પર ખૂબ જ વાસ્તવિક અસર કરશે

અભ્યાસ મુજબ, તે પછી દિવસ 24 નહીં પરંતુ 25 કલાકનો હશે. આપણો પ્રાકૃતિક ઉપગ્રહ એટલે કે ચંદ્ર ધીમે ધીમે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. આ સંશોધન સાવચેત વૈજ્ઞાનિક અવલોકન અને વિશ્લેષણ પર આધારિત છે.

વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીની એક ટીમે 90 મિલિયન વર્ષ જૂની રચનામાંથી ખડકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે ચંદ્રનું પૃથ્વીથી ધીમે ધીમે દૂર જવાથી શું ફેરફાર થશે.

ચંદ્ર પૃથ્વીથી દૂર જશે તેમ દિવસની લંબાઈમાં વધારો થશે. પછી દિવસ 25 કલાક જેટલો લાંબો થશે.

અભ્યાસ એ પણ દર્શાવે છે કે 1.4 બિલિયન વર્ષ પહેલાં, પૃથ્વી પરનો એક દિવસ ફક્ત 18 કલાકથી વધુ લાંબો હતો.

આ ઘટનાનું મુખ્ય કારણ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના ગુરુત્વાકર્ષણ અને બંને ગ્રહના ભરતી બળ સાથે સંબંધિત છે.

યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર સ્ટીફન મેયર્સે જણાવ્યું હતું કે, જેમ જેમ ચંદ્ર દૂર જાય છે તેમ તેમ પૃથ્વી ધીમી પડી રહી છે.

નોંધનીય છે કે પૃથ્વીથી દૂર જતા ચંદ્રનું સંશોધન કોઈ નવી શોધ નથી. વૈજ્ઞાનિકો દાયકાઓથી આવા દાવા કરી રહ્યા છે.

ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. ચંદ્ર પર દિવસ દરમિયાન તાપમાન ખૂબ જ ઉંચુ રહે છે અને રાત્રે ઠંડી પણ એટલી જ પડે છે.