IRCTC: ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ખાસ ધ્યાન રાખો, 10 વાગ્યા પછી બદલાય છે નિયમો
ભારતીય ટ્રેનોમાં મુસાફરીનો અનુભવ સુખદ રહે તે માટે રેલવે દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આ નિયમોનું ધ્યાન રાખશો તો તમારી યાત્રા સુખદ રહે છે.
આજે અમે તમને ટ્રેન મુસાફરી દરમિયાન કેટલાક ખાસ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે ભવિષ્યમાં ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ટ્રેનની મુસાફરીમાં રાત્રે 10 વાગ્યાનું ખૂબ મહત્ત્વ છે. ઘણા એવા કાર્યો છે જે તમારે 10 વાગ્યા પહેલા કરવા જોઈએ. ઘણા એવા કાર્યો છે જે તમે રાત્રે 10 વાગ્યા પછી જ કરી શકો છો.
જો તમે ગ્રૂપમાં મુસાફરી કરી રહ્યા છો અને ગીતો વગાડવા અથવા તમારી વચ્ચે વાત કરવા માંગો છો, તો તમે રાત્રે 10 વાગ્યા સુધી કરી શકો છો.
પરંતુ રાત્રે 10 વાગ્યા પછી, જો તમારું સંગીત અથવા તમારા અવાજથી અન્ય મુસાફરોની ઊંઘમાં ખલેલ પહોંચે છે, તો તેઓ ફરિયાદ કરી શકે છે.
આ ઉપરાંત, જો તમે IRCTC પાસેથી ભોજન લેવા માંગતા હો, તો તે રાત્રે 10 વાગ્યા પહેલા લઈ લો, પછીથી તમે IRCTC પાસેથી ભોજન ન લઈ શકો
જો તમે તમારી ટિકિટ ચેક કરાવવા માંગતા હોવ અથવા ટિકિટ અંગે TTE સાથે વાત કરવા માંગતા હો, તો તમે 10 વાગ્યા પહેલા આ કરી શકો છો. રાત્રે 10 વાગ્યા પછી ટીટીઈ ટિકિટ ચેક કરવા આવતા નથી
જો તમારી સીટ મિડલ બર્થ છે તો તમે 10 વાગ્યા પછી જ તમારી સીટ ઊંચી કરી શકો છો. તમે રાત્રે 10 વાગ્યા પહેલા મિડલ બર્થ ઊંચી કરી શકતા નથી અને તમારે બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધીમાં મિડલ બર્થને સામાન્ય સ્થિતિમાં મૂકવી પડશે.