દાદાની પ્રોપર્ટી પર પૌત્રનો કેટલો અધિકાર? જાણો જવાબ

ભારતમાં કાયદેસર રીતે પ્રોપર્ટીનું વિભાજન કરવું એ એકદમ જટિલ પ્રક્રિયા છે.

દાદાની મિલકત પર પૌત્રનો કેટલો અધિકાર છે? આ એક એવો પ્રશ્ન છે જે લાંબા સમયથી લોકોને પરેશાન કરી રહ્યો છે. આજે આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

પૈતૃક મિલકત એવી મિલકત છે જે તમારા દાદાને તેમના દાદા અને તેમને પણ તેમના દાદા પાસેથી મળી હતી. દાદાની પૈતૃક સંપત્તિ પર પૌત્રનો જન્મસિદ્ધ અધિકાર છે. આ માટે કોઈપણ પ્રકારની વસિયતની જરૂર નથી.

દાદા દ્વારા કમાયેલી મિલકત પર પૌત્રનો કોઈ અધિકાર નથી. દાદા દ્વારા કમાયેલી મિલકત વિલ દ્વારા ભાવિ પેઢીને સોંપી શકાય છે.

ધ્યાનમાં રાખો કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે અને તેનું કોઈ વિલ નથી તો, તેની સંપત્તિ પર ફક્ત તેની પત્ની અને પત્ની પછી તેના પુત્રનો અધિકાર છે.