ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ભારતમાં અનેક શિવાલયો આવેલા છે. જેમાં સ્વયંભૂ શિવલિંગનો આવિષ્કાર થયો એવા પણ ઘણાં જ્યોતિર્લિંગ છે.
સોર્સ : google
ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ શ્રદ્ધા અને પવિત્રતાનું પ્રતીક છે. ૧૨ જ્યોતિર્લિંગોમાંથી એક અને દક્ષિણ તરફ મુખ ધરાવે છે, જે જીવન અને મૃત્યુ પર શિવના પ્રભુત્વનું પ્રતીક છે. આ સ્વયં ભૂ પ્રગટ માનવામાં આવે છે.
સોર્સ : google
હિમાલયની ઊંચાઈઓ પર સ્થિત બાબા અમરનાથ ગુફામાં બરફમાંથી બનેલું એક રહસ્યમય લિંગ છે, જે ચંદ્રની કળાઓ સાથે વધે ઘટે છે. યાત્રાળુઓ માને છે કે આ શિવલિંગ શિવની બ્રહ્માંડીય લયને પ્રતિબિંબિત કરે છે.
સોર્સ : google
નાલાસના એકદમ શાંત ગામમાં એક શનલેશ્વર સ્વયંભૂ લિંગમ છે, જે ઇચ્છાઓ પૂર્ણ કરે છે તેવું માનવામાં આવે છે. દર્શનાર્થીઓની પ્રાર્થનાઓ ફળીભૂત થાય છે. જીવનમાં શાંતિનો અનુભવ થાય છે.
સોર્સ : google
હિમાલયના ખોળામાં આવેલા કેદારનાથ મંદિર ચારધામોમાંનું એક છે. એક લોકપ્રિય દંતકથા મુજબ કુરુક્ષેત્ર યુદ્ધ પછી પાંડવોએ ભગવાન શિવની ક્ષમા માંગવા માટે શિવલિંગની સ્થાપના કરી હતી. 2013 ના વિનાશક પૂર દરમિયાન પણ આ પવિત્ર સ્થળને આંચ આવી નહોતી.
સોર્સ : google
કાંચીપુરમમાં એક પવિત્ર આંબાના ઝાડ નીચે, દેવી પાર્વતીએ ભગવાન શિવની પૂજા કરવા માટે માટીનું શિવલિંગ સ્થાપિત કર્યું હતું. જે તેમની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે.
સોર્સ : google
બેંગલુરુની એક ગુફામાં સ્થિત ગાવી ગંગાધરેશ્વર મંદિર દર મકરસંક્રાંતિ પર એક અસામાન્ય ઘટનાનું આયોજન કરે છે. અસ્ત થતા સૂર્યના કિરણો શિવલિંગને સંપૂર્ણપણે પ્રકાશિત કરે છે.