વિરાટ કોહલી હજુ 15 સદી ફટકારશે, પૂર્વ દિગ્ગજ ખેલાડીએ કર્યો દાવો
રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી.
આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 100 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ કોહલીની વનડે કારકિર્દીની 51મી સદી છે.
આ સદી પછી, પૂર્વ ભારતીય ખેલાડી નવજોત સિંહ સિદ્ધુએ દાવો કર્યો છે કે કોહલી હજુ 10-15 કે તેથી વધુ સદીઓ ફટકારશે.
રિપોર્ટ અનુસાર, સિદ્ધુએ કહ્યું કે કોહલીની આ સદી દર્શાવે છે કે તે જલ્દી નિવૃત્તિ નહીં લે. સિદ્ધુ માને છે કે કોહલી વધુ બેથી ત્રણ વર્ષ રમશે.
કોહલીની ચેમ્પિયન્સ ટ્રોફી કારકિર્દીની આ પહેલી સદી છે. કોહલીની સદીના કારણે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું.
કોહલી હવે ન્યુઝીલેન્ડ સામે ભારતની છેલ્લી લીગ મેચમાં રમતો જોવા મળશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર