કેટલાક લોકોને ઉનાળામાં AC કે કૂલર વગર ચાલતું નથી. તેઓ જેવા ઘરે પહોંચે કે તરત AC કે કૂલર ચાલુ કરે છે.

તીવ્ર સૂર્યપ્રકાશમાંથી આવ્યા બાદ કૂલર ઠંડકનો અનુભવ કરાવે છે. અને ગરમીથી રાહત આપે છે.

હવે ક્યારેક એવું થાય છે કે તમે કૂલર ચાલુ કરો છો તો તેમાંથી ઠંડીને બદલે ગરમ હવા આવે છે.

તેનાથી હવા ચીકણી થઈ જાય છે. જેના કારણે બફારો થાય છે અને તમારું શરીર ચીકણું થવા લાગે છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે તમે કૂલરને રૂમની અંદર રાખો છો.

કૂલરને હંમેશા રૂમની બારી કે દરવાજા પાસે અથવા બાલ્કની પાસે રાખવું જોઈએ.

કૂલરમાં લગાવવામાં આવેલો પંખો પાછળથી હવાને અંદર ખેંચે છે. તે હવા કૂલરમાં નાખેલા પાણીમાંથી પસાર થઈને બહાર આવે છે. તેથી આ હવા ઠંડી લાગે છે.

તમારા કૂલરમાંથી ગરમ હવા આવતી હોય તો તેને કોઈ ખુલ્લી જગ્યાએ રાખો. આમ કરવાથી કૂલર પહેલાની જેમ જ ઠંડક આપશે.