દેશમાં એવા ઘણા પ્રવાસન સ્થળો છે જેની વિદેશી પર્યટકો સૌથી વધુ મુલાકાત લે છે. જો તમે હજુ સુધી ત્યાં ફરવા નથી ગયા તો એકવાર અવશ્ય જાવ.
અમે તમને ભારતની એવી જગ્યાઓ વિશે જણાવીશું જે વિદેશીઓને ખૂબ પસંદ છે.
ઋષિકેશ ઉત્તરાખંડનું સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ છે. અહીં પણ વિદેશી પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.
અહીં તમે રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા જોઈ શકો છો.
રાજસ્થાનની સંસ્કૃતિ દરેકને આકર્ષે છે. અહીંનું પિંક સિટી એટલે કે જયપુર શહેર પ્રવાસીઓમાં ઘણું પ્રખ્યાત છે.
આ જ કારણે વિદેશથી પણ પ્રવાસીઓ અહીં ફરવા આવે છે.
તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓમાંથી એક છે. તે યુનેસ્કોની હેરિટેજ સાઈટ્સમાં પણ સામેલ છે.
એટલા માટે ભારતીયોની સાથે દુનિયાભરમાંથી હજારો લોકો તાજમહેલ જોવા માટે આગ્રા આવે છે.
યુપીનું વારાણસી શહેર ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. ગંગા નદીના કિનારે વસેલા આ શહેરમાં કાશી વિશ્વનાથનું મંદિર છે, જે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.
આ શહેરમાં આવીને શાંતિનો અનુભવ થાય છે. તેથી વિદેશમાંથી પણ ઘણા પ્રવાસીઓ અહીં ફરવા આવે છે.