ક્રિકેટર અને કોરિયોગ્રાફર નહીં, આ છે ચહલ અને ધનશ્રીના સાચા પ્રોફેશન

ધનશ્રી અને યુઝવેન્દ્ર આ દિવસોમાં તેમના છૂટાછેડાના સમાચારને કારણે સમાચારમાં છે.

આ કપલ અલગ-અલગ કરિયર પ્રોફેશન સાથે સંબંધિત છે.

બધા જાણે છે કે ધનશ્રી વર્મા એક લોકપ્રિય કોરિયોગ્રાફર છે. તે ડાન્સ રિયાલીટી શો 'જલક દિખલા જા 11'ની પણ ભાગ રહી ચૂકી છે.

પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ધનશ્રી એક પ્રોફેશનલ ડેનટિસ્ટ પણ છે.

યુઝવેન્દ્ર ચહલ ભારતીય ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ લેગ સ્પિનર્સમાંનો એક છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટ સિવાય IPLમાં પણ રમે છે.

પણ ભાગ્યે જ કોઈને ખબર હશે કે તેની પાસે સરકારી નોકરી પણ છે. યુઝવેન્દ્ર ચહલ હરિયાણામાં ઈન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર છે.

તમને જણાવી દઈએ કે ધનશ્રી અને ચહલના લગ્ન વર્ષ 2020માં થયા હતા.

હવે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આવી સ્થિતિમાં, તેમના છૂટાછેડાના સમાચારોએ જોર પકડ્યું છે.