ઉત્તર પ્રદેશમાં સ્થિત બનારસને મહાદેવની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. બનારસ હિન્દુ ધર્મમાં મહત્ત્વપૂર્ણ તીર્થસ્થાન છે.
મહાદેવની આ નગરી ત્રણ નામે ઓળખાય છે. આ શહેરને વારાણસી, કાશી અને બનારસ કહેવામાં આવે છે.
બનારસ ફરવા માટે અને તેના સ્વાદિષ્ટ ખોરાક માટે પણ જાણીતું છે. જો તમે પણ બનારસ જવાનું વિચારી રહ્યા છો તો આ 5 જગ્યાઓ ફરવાનું ચૂકતા નહીં.
કાશી વિશ્વનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. હિંદુ ધર્મમાં કાશી વિશ્વનાથ મંદિર ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
સંકટ મોચન મંદિરની સ્થાપના પ્રખ્યાત હિંદુ ઉપદેશક અને કવિ સંત શ્રી ગોસ્વામી તુલસીદાસ દ્વારા 16મી સદીની શરૂઆતમાં કરવામાં આવી હતી. તે આસી નદીના કિનારે આવેલું છે.
મણિકર્ણિકા ઘાટ પર ચિતાની રાખ સાથે હોળી રમવામાં આવે છે. જો તમે બનારસ જઈ રહ્યા છો તો આ ઘાટની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
કાલ ભૈરવ મંદિરની પૌરાણિક માન્યતા છે કે બાબા વિશ્વનાથે કાલ ભૈરવને કાશીના કોટવાલ તરીકે નિયુક્ત કર્યા હતા.
દશાશ્વમેધ ઘાટ ગંગા આરતી માટે જાણીતો છે, જે દરરોજ સૂર્યાસ્ત પછી થાય છે. આ આરતી જોવા લોકો દૂર-દૂરથી આવે છે.