Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Floods in Taiwan: A lake burst due to a storm in Taiwan, 15 people died, mud and mud reigned in the city

Floods in Taiwan : તાઈવાનમાં વાવાઝોડાથી સરોવર ફાટયું, 15 લોકોનાં મોત, શહેરમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Floods in Taiwan : તાઈવાનમાં વાવાઝોડાથી સરોવર ફાટયું, 15 લોકોનાં મોત, શહેરમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય
સોર્સ : Google

Floods in Taiwan : વાવાઝોડા સુપર ટાયફૂન રગાસાએ તાઇવાનમાં હાહાકાર મચાવ્યો છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ ખાબક્યો અને પૂર આવતા અનેક જગ્યાએ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં હુઆલિયન કાઉન્ટીમાં એક સરોવરની પાળ તૂટતાં તાઈવાનમાં તારાજી સર્જાઈ. જેના કારણે આખા શહેરમાં કાદવ-કીચડ જોવા મળી રહ્યું છે. આ દુર્ઘટનામાં 15 જેટલાં લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

App Store

વાવાઝોડાના કારણે સરોવરની પાળ તૂટતાં તાઈવાનમાં તારાજી
બેરિયર લૅક એક પ્રાકૃતિક લૅક છે. જે સામાન્ય રીતે પહાડોમાં ભૂસ્ખલન થવાની નિર્માણ પામે છે. જેનાથી નદીનું પાણીએ બંધની પાછળ જમા થાય છે અથવા તો પાણીનો પ્રવાહ ધીમો થાય છે. જોકે આ બેરિયર લૅક તૂટી જાય તો ભારે પૂર આવી શકે છે. હુઆલિયનનો આ વિસ્તાર પર્વતીય છે અને વસ્તી ઓછી છે. આ સરોવર હુઆલિયન કાઉન્ટીના પૂર્વ કિનારે આવેલું છે. 

આખા શહેરમાં કાદવ-કીચડ; 15નાં મોત 
તાઇવાનના પર્વતીય વિસ્તારમાં આવેલુ ગુઆંગફુ શહેરની ઉપરના પર્વતોમાં વસેલું છે. તે માટાઇ'આન ખાડીની ઉપનદી પર બનેલું છે. આ વિસ્તાર ખૂબ જ દૂરસ્થ છે, જેના કારણે ત્યાં પહોંચવું મુશ્કેલ અને ખતરનાક બને છે. સરોવરની પાળ તૂટતાં પહેલા બંધ આશરે 120 મીટર (390 ફૂટ) ઊંચો હતો. જેમાં પાણીનો વિસ્તાર 500 મીટર લાંબો અને 1650 મીટર પહોળો હતો. બંધ તૂટ્યા બાદ 75% સંકોચાઈ ગયો હતો. આ પછી 91 મિલિયન ટન પાણીમાંથી 60 મિલિયન ટન પાણી વહી ગયું હતું. 

સમગ્ર ઘટના બાદ આખા શહેરમાં કાદવ-કીચડ જોવા મળ્યું. આ સ્થિતિમાં સરકારે પાણી ઓછું કરવા અને કાટકાળ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મુશ્કેલ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે તાઈવાનમાં 25 વર્ષમાં સૌથી ખબરનાક ભૂકંપ હતો. જેના કારણે હુઆલિયનના કેટલાક પહાડો હજુ પણ અસ્થિર છે અને ખતરો વધારે છે. સુપર ટાયફૂન રગાસાના કારણે તાઇવાનના પૂર્વ તટના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હોવાથી સરોવરનું પાણી વધ્યુ હતું. જેનાથી સરોવરની પાળ તૂટતાં તાઈવાનમાં તારાજી સર્જાઈ હતી.