IND vs ENG / એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં પાણી પીવડાવતા રહ્યા 3 ભારતીય ખેલાડીઓ, એક પણ મેચમાં ન મળી તક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 31 જુલાઈથી લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમ ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. જોકે, આ પ્રવાસમાં 3 એવા ખેલાડીઓ હતા જેમને આ સિરીઝમાં રમવાની તક નથી મળી. આ ખેલાડીઓ આખી સિરીઝ દરમિયાન તે પાણી જ પીવડાવતા રહી ગયા.
આ 3 ખેલાડીઓને તક મળી ન હતી
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની છેલ્લી મેચ રમાઈ રહી છે. આ સિરીઝમાં અત્યાર સુધી ઘણા ખેલાડીઓને ભારતીય ટીમ તરફથી રમવાની તક મળી છે. અંશુલ કંબોજને પણ આ સિરીઝ દ્વારા ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કરવાની તક મળી. પરંતુ આ પ્રવાસમાં ભારતીય ટીમનો ભાગ રહેલા અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને અભિમન્યુ ઈશ્વરનને એક પણ મેચ રમવાની તક નથી મળી. ઘણા ભૂતપૂર્વ અનુભવી ખેલાડીઓએ પણ ત્રણેય ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સમાવવા સલાહ આપી હતી. પરંતુ મેનેજમેન્ટે કોઈની વાત ન સાંભળી અને આ 3 ખેલાડીઓ સમગ્ર પ્રવાસ દરમિયાન પાણી પીવડાવતા રહી ગયા.
આ 2 ખેલાડીઓ ડેબ્યુની રાહ જોતા રહ્યા
એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં અવગણવામાં આવેલા અભિમન્યુ ઈશ્વરનને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી સિરીઝમાં તક મળશે. પરંતુ તેને એક પણ મેચ રમવાની તક ન મળી. ઈશ્વરન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ આ ખેલાડીએ ભારત માટે ડેબ્યુ કરવા માટે હજુ રાહ જોવી પડશે. ઘરેલું ટૂર્નામેન્ટમાં તેના આંકડા ઉત્તમ રહ્યા છે. અત્યાર સુધી રમાયેલી 103 ફર્સ્ટ ક્લાસ મેચોમાં, તેણે 48.70ની એવરેજ સાથે 7841 રન બનાવ્યા છે, જેમાં 27 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અર્શદીપ સિંહ પણ આ સિરીઝમાં ભારત માટે તેના ટેસ્ટ ડેબ્યુની રાહ જોતો રહ્યો.

