Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India seeks blessings at Mahakaleshwar Jyotirlinga before 3rd ODI

VIDEO / ઈન્દોર ODI પહેલા મહાકાલની શરણમાં પહોંચી ટીમ ઈન્ડિયા, ભસ્મ આરતીમાં સામેલ થયો વિરાટ કોહલી

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO / ઈન્દોર ODI પહેલા મહાકાલની શરણમાં પહોંચી ટીમ ઈન્ડિયા, ભસ્મ આરતીમાં સામેલ થયો વિરાટ કોહલી
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયા 18 જાન્યુઆરીએ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમવા માટે તૈયાર છે. જોકે, તે પહેલા ભારતીય ક્રિકેટર્સ બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈનની મુલાકાતે ગયા હતા. 17 જાન્યુઆરીની સવારે વિરાટ કોહલી અને કુલદીપ યાદવ મહાકાલની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

App Store

ભસ્મ આરતીમાં સામેલ થયો વિરાટ

બંને સ્ટાર ખેલાડીઓએ સવારે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં દિવ્ય ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, વિરાટ કોહલીએ મંદિરમાં માથું નમાવ્યું અને તે ભગવાનની ભક્તિમાં ડૂબેલો દેખાયો હતો. કિંગ કોહલી નંદી મહારાજની મૂર્તિ પાસે બેસીને મંત્રોચ્ચાર સાંભળી રહ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ફિલ્ડીંગ કોચ ટી દિલીપ પણ ત્યાં હાજર હતો.

કુલદીપે શું કહ્યું?

ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવ ઉજ્જૈનમાં બાબા મહાકાલના દર્શન કર્યા પછી અત્યંત ખુશ દેખાતો હતો. તેણે સમાચાર એજન્સી ANIને જણાવ્યું, "આ એક શાનદાર અનુભવ હતો. આખી ટીમ મારી સાથે આવી હતી અને ઘણા સ્પોર્ટ્સ સ્ટાફ પણ હાજર હતા. અહીં આવવું હંમેશા સારો અનુભવ રહે છે. લગભગ નવ વર્ષ થઈ ગયા છે, જ્યારે હું પહેલી વખત અહીં આવ્યો હતો. અહીં આવવાથી મને અપાર આનંદ મળે છે."

વર્લ્ડ કપ પહેલા આશીર્વાદ લીધા

કુલદીપે વધુમાં કહ્યું, "આવી ભક્તિથી જે માનસિક શાંતિ મળે છે, તે ખૂબ જ સારી લાગે છે. આ ત્રીજી કે ચોથી વાર છે જ્યારે મેં ભસ્મ આરતીમાં ભાગ લીધો છે. ભગવાનની કૃપાથી બધું બરાબર છે. જો તેમની કૃપા રહેશે, તો અમે વર્લ્ડ કપમાં પણ સારું પ્રદર્શન કરીશું, તે જ અમારો આગામી ટાર્ગેટ છે." તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર, બેટિંગ કોચ સિતાંશુ કોટક અને વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે પણ બાબા મહાકાલના દર્શન કર્યા હતા.