Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Suryakumar Yadav can break Rohit Sharma's record in 5th T20I

IND vs NZ / આજે બેવડી સદી પૂરી કરી શકે છે સૂર્યકુમાર યાદવ, રોહિત શર્માના રેકોર્ડ પર પણ હશે નજર

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / આજે બેવડી સદી પૂરી કરી શકે છે સૂર્યકુમાર યાદવ, રોહિત શર્માના રેકોર્ડ પર પણ હશે નજર
સોર્સ : GSTV

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20I સિરીઝની છેલ્લી મેચ આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત પહેલાથી જ પાંચ મેચની સિરીઝ જીતી ચૂક્યું છે અને 3-1ની લીડ ધરાવે છે. આજે ભારત સિરીઝ 4-1થી જીતવાનું લક્ષ્ય રાખશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ તિરુવનંતપુરમમાં માત્ર ભારતને જીત તરફ દોરી જવાના જ નહીં, પરંતુ કેટલાક મોટા રેકોર્ડ બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો તે બેટથી સારું પ્રદર્શન કરશે, તો તે રોહિત શર્માનો એક રેકોર્ડ તોડી શકે. આ સિવાય સૂર્યા ફક્ત એક છગ્ગા સાથે ખાસ બેવડી સદી પૂર્ણ કરશે.

App Store

રોહિતનો રેકોર્ડ તોડવાથી 33 રન દૂર

T20 વર્લ્ડ કપ 2026 પહેલા સૂર્યકુમાર યાદવે જબરદસ્ત કમબેક કરીને ટીમ ઈન્ડિયાની મોટી ચિંતા દૂર કરી છે. તેણે સિરીઝની ચાર મેચમાં 150થી વધુ રન બનાવ્યા છે, જેમાં બે વિસ્ફોટક અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે 4 મેચમાં 32, 82, 56 અને 8 રન બનાવ્યા છે. જો સૂર્યા તિરુવનંતપુરમમાં 33 રન બનાવે છે, તો તે આ ફોર્મેટમાં 3000 રન સુધી પહોંચી જશે અને T20I મેચોમાં 3000થી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય બનશે. તે આ ફોર્મેટમાં સૌથી ઝડપી 3000 રન બનાવવાના મામલે રોહિત શર્માને પાછળ છોડી દેશે.

સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 103 T20I મેચોની 97 ઈનિંગ્સમાં 36.62ની એવરેજથી 2967 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 23 અડધી સદીનો સમાવેશ થાય છે. આજે તે તેની 98મી ઈનિંગમાં 3000 રનનો આંકડો પાર કરી શકે છે, જેનાથી તે 100થી ઓછા ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરનાર વિરાટ કોહલી પછીનો બીજો ભારતીય બની શકે છે. વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં 81 ઈનિંગ્સમાં 3,000 રન પૂરા કર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 108 ઈનિંગ્સમાં 3000 રન પૂરા કર્યા હતા.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20I મેચોમાં સૂર્યકુમાર યાદવ કરતાં વધુ રન બનાવ્યા છે. ગયા T20 વર્લ્ડ કપમાં ભારતની જીત પછી રોહિત અને વિરાટે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રોહિત શર્માએ 159 મેચોની 151 ઈનિંગ્સમાં 5 સદી અને 32 અડધી સદી સાથે 4231 રન બનાવ્યા છે. બીજી તરફ વિરાટે 125 મેચોની 117 ઈનિંગ્સમાં 1 સદી અને 38 અડધી સદી સાથે 4188 રન બનાવ્યા છે.

એક છગ્ગા સાથે 'બેવડી સદી' પૂર્ણ કરશે

નંબર 4 પર બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં T20 ક્રિકેટમાં 199 છગ્ગા ફટકાર્યા છે. આજે તેની પાસે 4 નંબર પર બેટિંગ કરીને છગ્ગાની બેવડી સદી પૂર્ણ કરવાની સુવર્ણ તક છે. જો સૂર્યા ઈચ્છે તો તે મેચના પહેલા જ બોલ પર મોટો શોટ ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી શકે છે. આ સાથે તે T20 ક્રિકેટમાં નંબર 4 પર બેટિંગ કરતી વખતે 200 કે તેથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં જોડાઈ જશે.