શુભમન ગિલ સાથે થયો દગો? સૂર્યાકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે છુપાવી આટલી મોટી વાત

માત્ર 2 દિવસ પહેલા જે શુભમન ગિલ T20 સિરીઝમાં ભારતીય ટીમનો વાઈસ-કેપ્ટન હતો અને સતત ત્રણ સિરીઝ માટે ટીમનો ભાગ રહી ચૂકી હતો, તેને અચાનક T20 વર્લ્ડ કપની સ્કવોડમાંથી બહાર કરી દેવામાં આવ્યો. સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝની અંતિમ મેચના બીજા દિવસે T20 વર્લ્ડ કપ માટે ભારતીય સ્કવોડની જાહેરાત કરવામાં આવી હતી અને ગિલનો સમાવેશ ન કરવામાં આવ્યો. જેટલું નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેટલું બધાને આશ્ચર્ય થયું હતું. હવે એક વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે, ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય બે દિવસ માટે ગુપ્ત રાખ્યો હતો.
શુક્રવાર 19 ડિસેમ્બરના રોજ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 સિરીઝની અંતિમ મેચ અમદાવાદમાં રમાઈ હતી. શુભમન ગિલ પગની ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયો હતો અને સંજુ સેમસનને તેની જગ્યાએ રમવાની તક મળી હતી. સેમસને માત્ર 22 બોલમાં 37 રન બનાવ્યા હતા, જે આખી સિરીઝમાં ત્રણ ઈનિંગ્સમાં ગિલના કુલ રન (32) કરતાં વધુ હતા. પરિણામે, જ્યારે શનિવારે સ્કવોડની જાહેરાત કરવામાં આવી, ત્યારે તેમાં ગિલનું નામ નહતું. આ સાથે સેમસન ઓપનિંગ પોઝિશન પર પાછો ફર્યો.
શુભમન ગિલથી છુપાવવામાં આવી આ વાત
જ્યારે આ નિર્ણય યોગ્ય લાગે છે, પરંતુ એશિયા કપ દરમિયાન અચાનક ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા, સેમસનને બદલે ઓપનિંગમાં ઉતાર્યા અને સતત ત્રણ સિરીઝ માટે સપોર્ટ આપ્યા પછી શુભમનને અચાનક વર્લ્ડ કપની આટલી નજીક સ્કવોડમાંથી બહાર કરવામાં આવ્યો તે ચોંકાવનાર છે. પરંતુ આ નિર્ણય ખુદ ગિલ માટે પણ વધુ આઘાતજનક હશે, કારણ કે આ નિર્ણય ફક્ત 48 કલાક પહેલા જ લેવામાં આવ્યો હતો, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરે તેને ગુપ્ત રાખ્યો હતો, જ્યારે ગિલ અંતિમ T20I મેચ સુધી ટીમની સાથે જ હતો.
PTIના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લખનૌમાં ચોથી T20I મેચ પહેલા ગિલને પગમાં ઈજા થયા બાદ ટીમ મેનેજમેન્ટ અને સિલેક્શન કમિટીએ નિર્ણય લીધો હતો કે ગિલ વર્લ્ડ કપ ટીમમાં નહીં રહે. જોકે, તે સમયે કોચ કે કેપ્ટને તેને આ અંગે જાણ નહતી કરી. ગિલની ઈજા ગંભીર નહતી અને તે પેઈનકિલર ઈન્જેક્શન લઈને છેલ્લી મેચ રમવા માટે પણ તૈયાર હતો, પરંતુ તેને બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગિલને ક્યારે અને કોણે જાણ કરી?
ગિલ આખી મેચ દરમિયાન ટીમ સાથે હતો અને મેચ દરમિયાન ખેલાડીઓને પાણી આપવા માટે મેદાન પર પણ આવ્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શુભમન ગિલને તેના બહાર થવાની જાણ ચીફ સિલેક્ટર અજિત અગરકરે કરી હતી. માહિતી અનુસાર, શનિવારે બપોરે સિલેક્શન કમિટીની મીટિંગ બાદ સ્કવોડની જાહેરાત થવાની થોડી મિનિટો પહેલા અગરકરે શુભમન ગિલને ફોન કરીને નિર્ણયની જાણ કરી હતી.
શું ગિલ અને ગંભીરના સંબંધો બગડશે?
આ ખુલાસાથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે અને વિવિધ શંકાઓ ઉભી થઈ છે. ગંભીર, સૂર્યા અને અગરકરે ગિલને અંધારામાં કેમ રાખ્યો? જો આ નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો હતો, તો તેને ઈજા છતાં ટીમમાં કેમ રાખવામાં આવ્યો? શું ગિલને અચાનક હટાવવાથી ODI અને ટેસ્ટ ફોર્મેટમાં કોચ અને સિલેક્ટર્સ સાથેના તેના સંબંધો પર અસર પડશે? ગિલને આ વર્ષે ODI અને ટેસ્ટ ટીમોના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતો.
અત્યાર સુધી ટેસ્ટ અને T20માં ટીમનું વાતાવરણ સારું ગણાવવામાં આવતું હતું, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીને કારણે ODIમાં વાતાવરણ ખરાબ ગણાવવામાં આવતું હતું. હવે શું ગંભીર દ્વારા આ નિર્ણય છુપાવવાથી શુભમન ગિલના તેની સાથેના સંબંધોને નુકસાન નહીં થાય અને શું તેની અસર ટેસ્ટ ટીમના વાતાવરણ પર પણ નહીં પડે? આ એવા પ્રશ્નો છે જે થોડા સમય માટે ચાલુ રહેશે અને ભવિષ્યમાં ઘણા ખુલાસા અને દાવાઓ થતા રહેશે.

