Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sunil Gavaskar explained why did Team India lose in the Kolkata Test

પિચ ખરાબ નહતી તો કોલકાતા ટેસ્ટમાં આટલી ખરાબ રીતે કેમ હારી ટીમ ઈન્ડિયા? સુનિલ ગાવસ્કરે જણાવ્યું કારણ

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
પિચ ખરાબ નહતી તો કોલકાતા ટેસ્ટમાં આટલી ખરાબ રીતે કેમ હારી ટીમ ઈન્ડિયા? સુનિલ ગાવસ્કરે જણાવ્યું કારણ
સોર્સ : GSTV

સાઉથ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનના ખરાબ પ્રદર્શનથી સુનિલ ગાવસ્કર નાખુશ છે. આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો અને મેચ ફક્ત અઢી દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. આ દિગ્ગજ ક્રિકેટરે કોલકાતા ટેસ્ટમાં ભારતીય બેટિંગ ફ્લોપ થવાનું કારણ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના ઘરેલું ક્રિકેટ ન રમવાને ગણાવ્યું હતું.

App Store

સુનિલ ગાવસ્કરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, "આપણા ઘણા ખેલાડીઓ ઘરેલું ક્રિકેટ નથી રમતા. જો તમે ઘરેલું ક્રિકેટ રમો છો, તો તમને આવી પિચો પર રમવાનો મોકો મળશે. કારણ કે સ્થાનિક સ્તરે પણ, ટીમો રણજી ટ્રોફી નોકઆઉટ માટે ક્વોલિફાય થવા માટે પોઈન્ટ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આનો અર્થ એ છે કે એવી પિચો હશે જ્યાં બોલ થોડો ટર્ન થશે. પરંતુ આપણા ખેલાડીઓ તેના પર નથી રમતા. આપણા વર્તમાન ખેલાડીઓમાંથી કોઈ નથી રમ્યું. આપણા વર્તમાન ખેલાડીઓમાંથી કેટલા ખરેખર રણજી ટ્રોફીમાં રમવા માંગશે?" તેમણે સ્ટાર ખેલાડીઓ દ્વારા ઘરેલું ક્રિકેટ ટાળવા પર ચિંતા વ્યક્ત કરી અને વર્કલોડ મેનેજમેન્ટના ખ્યાલ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ગાવસ્કરે કહ્યું, "ના, તેઓ એવું નહીં કરે કારણ કે વર્કલોડ નામનો એક શબ્દ છે. વર્કલોડ ફક્ત એક શબ્દ છે. તેઓ રમવા નથી માંગતા. તેઓ ફક્ત ત્યારે જ રણજી ટ્રોફી રમશે જો તેઓ ફોર્મમાં ન હોય. નહીં તો, તેઓ રમવા નથી માંગતા. તેથી, તેમાં જ જવાબ રહેલો છે. તમને એવી વિકેટ જોઈએ છે જે ટર્ન થાય, પરંતુ પછી તમે એવા ખેલાડીઓ પસંદ કરવા માંગો છો જે ઘરેલું ક્રિકેટ બિલકુલ નથી રમતા."

ઈડન ગાર્ડન્સની પિચ વિશે શું કહ્યું?

કોલકાતા ટેસ્ટ પછી ઈડન ગાર્ડન્સની પિચની ઘણી ટીકા થઈ છે. જોકે, સુનીલ ગાવસ્કરે પિચનો બચાવ કર્યો છે. તેમણે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરના નિવેદનને સમર્થન આપ્યું જેમાં તેણે કહ્યું હતું કે, "પિચમાં કંઈ ખોટું નથી, અમે ફક્ત સારું નથી રમ્યા."

સાઉથ આફ્રિકાએ કોલકાતા ટેસ્ટ જીતીને બે મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. જો મુલાકાતી ટીમ ગુવાહાટીમાં બીજી ટેસ્ટ જીતી જાય અથવા ડ્રો પણ કરે, તો તે સિરીઝ જીતી જશે. કોલકાતા ટેસ્ટ ફક્ત અઢી દિવસમાં પૂર્ણ થઈ ગઈ હતી. ભારતમાં પહેલીવાર ટેસ્ટની ચારેય ઈનિંગમાં કોઈપણ ટીમ 200 રનનો આંકડો નથી પાર કરી શકી. બીજી ઈનિંગમાં 124 રનનો  ટાર્ગેટ ચેઝ કરતા ટીમ ઈન્ડિયા ફક્ત 93 રનમાં જ આઉટ થઈ ગઈ અને 30 રનથી મેચ હારી ગઈ.