ઈશાન કિશન કે સંજુ સેમસન, કોણ કરશે ઓપનિંગ? T20 વર્લ્ડ કપ પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતીય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ટેન્શન વધવાનું છે. સંજુ સેમસન ન્યુઝીલેન્ડ સામેની T20I સિરીઝમાં ભારતના પ્રમુખ ઓપનર તરીકે પ્રવેશ્યો, પરંતુ તે પાંચ મેચમાં ફક્ત 46 રન જ બનાવી શક્યો હતો. બીજી તરફ, ભારતના બેકઅપ ઓપનર ઈશાન કિશને નંબર ત્રણ પર રમતા ચાર મેચમાં 215 રન બનાવ્યા હતા. હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું ઈન-ફોર્મ ઈશાન T20 વર્લ્ડ કપ 2026માં રમશે કે પછી ટીમ નિયમિત ઓપનર સંજુ સાથે જશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.
ઈશાન કે સંજુ, કોણ કરશે ઓપનિંગ?
પાંચમી T20I મેચ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું હતું કે, તિલક વર્મા T20 વર્લ્ડ કપ સુધીમાં ફિટ થઈ જશે, તો ઈશાન રમશે કે સંજુ. સૂર્યાએ જવાબ આપ્યો કે કોમ્બિનેશન તિલકની ફિટનેસ પર નિર્ભર રહેશે. તેણે કહ્યું, "મને હજુ સુધી તિલક વર્મા વિશે સંપૂર્ણ રીતે કંઈ ખબર નથી. જોકે, અમને કહેવામાં આવ્યું છે કે તે સ્વસ્થ દેખાય રહ્યો છે અને તેણે બેટિંગ શરૂ કરી દીધી છે. જો તે પાછો ફરે છે, બધા 15 સભ્યો સાથે માથાનો દુખાવો લેવો સારું રહેશે. બધા ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં રમવા માટે સક્ષમ છે. તમને 7મી તારીખે ખબર પડશે કે ઈશાન કિશન રમશે કે સંજુ સેમસન."
ઈશાન કિશનએ સંજુના હોમટાઉનમાં સદી ફટકારી
તિલક વર્માની ગેરહાજરીમાં ઈશાન કિશનને ન્યુઝીલેન્ડ સામેની T20I સિરીઝમાં રમવાની તક મળી. તે સારા ટચમાં દેખાતો હતો. તેણે રાયપુરમાં બીજી T20I મેચમાં 78 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સંજુ પ્રથમ ચાર મેચમાં સંઘર્ષ કરી રહ્યો હતો. તેના હોમટાઉન તિરુવનંતપુરમમાં પાંચમી T20Iમાં સંજુ પાસે છેલ્લી તક હતી, પરંતુ તે ફક્ત 6 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો.
ઈશાન કિશન પાસે T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાની સુવર્ણ તક હતી. તેણે 43 બોલમાં 103 રન ફટકારીને બંને હાથે લાભ લીધો. હવે એવું લાગે છે કે સંજુની જગ્યાએ ઈશાન કિશન T20 વર્લ્ડ કપમાં અભિષેક શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરતો જોવા મળશે.

