Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Is Jasprit Bumrah injured Big revelation during Manchester Test

IND vs ENG / શું ઈજાગ્રસ્ત છે જસપ્રીત બુમરાહ? માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન ફિટનેસ પર ઉભા થયા પ્રશ્નો

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / શું ઈજાગ્રસ્ત છે જસપ્રીત બુમરાહ? માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન ફિટનેસ પર ઉભા થયા પ્રશ્નો
સોર્સ : Google

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. 3 દિવસની રમત પછી, યજમાન ઈંગ્લેન્ડનો હાથ ઉપર છે. ટીમ ઈન્ડિયાના બોલરો સતત સંઘર્ષ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયા પર 186 રનની લીડ મેળવી છે. પ્રથમ ઈનિંગમાં ભારતને 358 રનમાં ઓલઆઉટ કરનાર ઈંગ્લેન્ડે ત્રીજા દિવસના at સુધીમાં 7 વિકેટ ગુમાવીને 544 રન બનાવ્યા છે. આ દરમિયાન, જસપ્રીત બુમરાહની ફિટનેસ અંગે એક મોટી અપડેટ બહાર આવી છે.

App Store

માન્ચેસ્ટર ટેસ્ટના ત્રીજા દિવસે જસપ્રીત બુમરાહ મેદાન છોડી ગયા બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ફેન્સની ચિંતા વધી ગઈ હતી. પરંતુ બોલિંગ કોચ મોર્ને મોર્કેલે સ્પષ્ટતા કરી છે કે બુમરાહની ઈજા ગંભીર નથી અને તે ટૂંક સમયમાં લયમાં પાછો ફરશે. તેણે ભારતીય ફાસ્ટ બોલરો પાસેથી વધુ ઉર્જા અને ગતિની આશા વ્યક્ત કરી છે, ખાસ કરીને ફ્લેટ પિચ પર જ્યાં તકો ઉભી કરવી સરળ નથી.

બુમરાહની ફિટનેસ પર પ્રશ્નો ઉભા થયા

ત્રીજા દિવસના બીજા સેશનમાં બુમરાહ અચાનક મેદાન છોડીને ચાલ્યો ગયો અને ટી બ્રેક પહેલા પાછો ફર્યો હતો. જોકે તેણે છેલ્લા સેશનમાં બોલિંગ કરી હતી અને જેમી સ્મિથની વિકેટ પણ લીધી હતી, પરંતુ આ સમય દરમિયાન તે ડાબા પગની ઘૂંટીને લઈને અસ્વસ્થ દેખાતો હતો. તેણે 28 ઓવરમાં 95 રન આપીને 1 વિકેટ લીધી હતી.

મોહમ્મદ સિરાજની હાલત પણ બુમરાહ જેવી જ દેખાતી હતી. બોલિંગ દરમિયાન તે પણ થોડી અસ્વસ્થતાનો સામનો કરી રહ્યો હતો, પરંતુ તેણે પોતાની જાતને સંભાળી અને પૂરા ઉત્સાહથી બોલિંગ ચાલુ રાખી. દિવસની રમત પછી પ્રેસ કોન્ફરન્સમાં, મોર્ને મોર્કેલે જણાવ્યું હતું કે સીડી ઉતરતી વખતે બુમરાહનો પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જ્યારે ફોલો-થ્રુમાં ફૂટહોલને કારણે સિરાજ ઘાયલ થયો હતો. તેણે કહ્યું કે, "હા, કમનસીબે જ્યારે અમે બીજો નવો બોલ લીધો, ત્યારે સીડી ઉતરતી વખતે બુમરાહનો પગની ઘૂંટીમાં ઈજા થઈ અને સિરાજનો પગ પણ ફૂટહોલમાં ફસાઈ ગયો. પરંતુ હાલમાં બંને ઠીક લાગે છે."

પેસમાં ઘટાડાએ તણાવ વધાર્યો

ત્રીજા દિવસે બીજી ચિંતાજનક બાબત એ હતી કે ભારતીય ફાસ્ટ બોલરો સામાન્ય કરતાં ધીમી ગતિએ બોલિંગ કરતા જોવા મળ્યા. બુમરાહ સામાન્ય રીતે 140 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરે છે, પરંતુ તેની ગતિ ક્યારેક 120-130ની વચ્ચે રહેતી હતી. ડેબ્યુ કરનાર અંશુલ કંબોજ પણ 120ની આસપાસની ઝડપે બોલિંગ કરી રહ્યો હતો, જેના કારણે ફાસ્ટ બોલરોની ફિટનેસ પર પ્રશ્નો ઉભા થયા હતા.

સપાટ પિચ પર વધારાની ઉર્જાની જરૂર હોય છે

મોર્કેલે સ્વીકાર્યું કે બોલરોની ગતિમાં ઘટાડો ટીમ માટે એક મુદ્દો છે અને ટીમ મેનેજમેન્ટ તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે કહ્યું કે, "આવી સપાટ પિચ પર જ્યાં બોલ વધુ ફરતો નથી, ત્યાં બોલિંગમાં વધારાની ઉર્જા જરૂરી બને છે. ત્યારે જ પાછળ કેચ અને lbw જેવી તકો સર્જાય છે. આ અમારી બોલિંગ માટે એક મોટો પડકાર છે." તેણે વધુમાં કહ્યું કે સિરાજ જેવા બોલરોનો વર્કલોડ ખૂબ વધારે રહ્યો છે અને અંશુલ માટે આ તેની પહેલી ટેસ્ટ છે, તેથી ઉતાવળમાં કોઈ નિષ્કર્ષ કાઢવો જોઈએ નહીં. તેણે કહ્યું કે, "આ અંશુલની પહેલી ટેસ્ટ છે અને અમે એક સારો ફાસ્ટ બોલિંગ યુનિટ બનાવવા માંગીએ છીએ."