IND vs PAK / ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે કે સ્પિનર્સનો ચાલશે જાદુ? કેવી હશે આર પ્રેમદાસા સ્ટેડિયમની પિચ?

આજે (15 ફેબ્રુઆરી) ભારત અને પાકિસ્તાનની ટીમો શ્રીલંકામાં ટકરાવવા માટે તૈયાર છે. આ બંને ટીમો વચ્ચેની મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. T20 વર્લ્ડ કપ 2026માં આ મેદાનમાં કેટલીક મેચો રમાઈ ચૂકી છે જેમાં બેટ્સમેનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ માટે ઉપયોગમાં લેવાનારી પિચની તસવીર હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ સાથે બીજો એક મોટો ખુલાસો થયો છે, જેનાથી પાકિસ્તાની ટીમ ખુશ થઈ જશે.
ભારત-પાકિસ્તાન મેચની પિચ વિશે મોટો ખુલાસો
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એ જ પીચ પર રમાશે જ્યાં ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે ટક્કર થઈ હતી. તે મેચમાં બોલર્સે પ્રભુત્વ મેળવ્યું હતું, જ્યારે બેટ્સમેનોએ ઘણી સમસ્યાઓનો સામનો કર્યો હતો. પરિણામે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ લો સ્કોરિંગ મેચ બની શકે છે. બંને ટીમો પાસે સારા બોલર્સ છે. જોકે, પાકિસ્તાની ટીમ આ પિચથી ખૂબ ખુશ થશે.
પાકિસ્તાની ટીમ તેની પ્લેઈંગ ઈલેવનમાં પાંચ સ્પિનર્સ સાથે રમી રહી છે. તેથી, તે આ પિચ પરથી મદદની આશા રાખશે. દરમિયાન, ટીમ ઈન્ડિયા આગામી મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. વોશિંગ્ટન સુંદર પણ રિંકુ સિંહનું સ્થાન લઈ શકે છે. ટીમ ઈન્ડિયા પણ પ્લેઈંગ ઈલેવનમાં ચાર સ્પિનર્સનો સમાવેશ કરવાનું વિચારી શકે છે.
T20 વર્લ્ડ કપ માટે બંને ટીમો
ભારત: ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, અભિષેક શર્મા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર.
પાકિસ્તાન: સૈમ અયુબ, સાહિબઝાદા ફરહાન, સલમાન અલી આગા (કેપ્ટન), બાબર આઝમ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ફહીમ અશરફ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાહીન આફ્રિદી, અબરાર અહેમદ, ઉસ્માન તારિક, ફખર ઝમાન, નસીમ શાહ, સલમાન મિર્ઝા, ખ્વાજા નફે.

