IPL 2026માં નહીં રમે એમએસ ધોની? CSKના CEOએ માહીની નિવૃત્તિ પર તોડ્યું મૌન

IPL 2026 માટે અત્યારથી તૈયારી શરૂ થઈ ગઈ છે. આગામી સિઝનમાં એમએસ ધોની રમશે કે નહીં તે પ્રશ્ન દરેક ક્રિકેટ ફેનને પરેશાન કરી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સિઝનમાં ધોનીનું પ્રદર્શન પ્રભાવશાળી નહતું, પરંતુ અંતે તેણે નિવૃત્તિ ન લેવાનો નિર્ણય લીધો.
માહીએ કહ્યું હતું કે તેની પાસે વિચારવા માટે પુષ્કળ સમય હતો. સમસ્યા એ છે કે ધોની છેલ્લી બે સિઝનમાં તેના ઘૂંટણથી પરેશાન નજર આવી રહ્યો હતો. દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના CEO કાશી વિશ્વનાથે ધોનીની નિવૃત્તિ અંગે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે.
શું ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે?
CSKના CEOએ ધોનીની નિવૃત્તિ અંગે એક મોટું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું, "ના, ધોની હજુ IPLમાંથી નિવૃત્તિ નથી લઈ રહ્યો." માહીની નિવૃત્તિ યોજનાઓ વિશે પૂછવામાં આવતા, કાશી વિશ્વનાથે હસીને કહ્યું, "હું તેની સાથે વાત કરીશ અને તમને જણાવીશ." IPL 2025માં CSKનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું.
ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપ હેઠળ, CSK 14માંથી ફક્ત 4 મેચ જીતી શકી હતી અને આ સાથે ટીમ IPL ઈતિહાસમાં પ્રથમ વખત ટેબલમાં સૌથી નીચે રહી હતી. આના કારણે ઘણા ફેન્સને ડર હતો કે ધોની તેના નબળા પ્રદર્શનને કારણે નિવૃત્તિ જાહેર કરી શકે છે.
CSK સંઘર્ષ કરતી જોવા મળી
IPL 2025માં CSKનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક હતું. ઋતુરાજ ગાયકવાડ માત્ર 5 મેચ રમ્યા બાદ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ધોની ઋતુરાજની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરતો જોવા મળ્યો હતો. જોકે, માહીની કેપ્ટનશિપ પણ CSKનું નસીબ ન બદલી શકી.
ધોનીનું બેટ સાથે પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. તેણે 13 ઈનિંગ્સમાં 135ની સ્ટ્રાઈક રેટથી ફક્ત 135 રન બનાવ્યા હતા. ધોનીએ સમગ્ર સિઝનમાં ફક્ત 12 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા.

