Asia Cup સ્કવોડ માટે પ્રેસ કોન્ફરન્સ નહીં કરે BCCI! તો કેવી રીતે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત; જાણો લેટેસ્ટ અપડેટ

એશિયા કપ માટે બધા દેશો પોતાની સૌથી મજબૂત ટીમ બનાવવામાં વ્યસ્ત છે. પાકિસ્તાનની ટીમની જાહેરાત થઈ ગઈ છે, જેમાંથી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને બાકાત રાખવામાં આવ્યા છે. આ દરમિયાન, ભારતની સ્કવોડની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે, અગાઉ એવા અહેવાલ હતા કે ચીફ સિલેક્ટર અજિત અગરકર 19 ઓગસ્ટ, મંગળવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતની સ્કવોડની જાહેરાત કરશે. હવે નવા અહેવાલ અનુસાર, BCCIમાં મૂંઝવણ છે કે પ્રેસ કોન્ફરન્સ કરવી કે નહીં.
શું પ્રેસ કોન્ફરન્સ રદ્દ કરવામાં આવી છે?
અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેકશન કમિટી ટૂંક સમયમાં એશિયા કપ ટીમની પસંદગી અંગે મુંબઈમાં બેઠક યોજી શકે છે. દરેક વ્યક્તિ આ પ્રશ્નનો જવાબ જાણવા માટે ઉત્સુક છે કે BCCI ટીમની પસંદગીમાં કોઈ સરપ્રાઈઝ આપશે કે નહીં. હવે અહેવાલ અનુસાર, પ્રેસ કોન્ફરન્સ નહીં કરવાના સમાચાર છે. જો આવું થાય, તો ટીમની જાહેરાત વેબસાઈટ દ્વારા કરવામાં આવશે. આ એક ચોંકાવનારો નિર્ણય હશે, કારણ કે છેલ્લી ઘણી સિરીઝમાં, ટીમ ઈન્ડિયાની જાહેરાત પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી છે.
સ્કવોડની જાહેરાતમાં મોટી સરપ્રાઈઝ મળશે
ભારતની સ્કવોડની પસંદગીનો મુદ્દો ચર્ચામાં છે. BCCI સ્કવોડમાં ઘણી સરપ્રાઈઝ આપી શકે છે, કારણ કે નવા અપડેટ મુજબ, શુભમન ગિલને T20 ટીમમાંથી બહાર રાખી શકાય છે. તેના સિવાય, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજને પણ ભાગ્યે જ સ્થાન મળી શકે છે.
એશિયા કપના શેડ્યૂલની વાત કરીએ તો, ભારતને પાકિસ્તાન, ઓમાન અને UAE સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે સંયુક્ત આરબ અમીરાત (UAE), 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 19 સપ્ટેમ્બરે ઓમાન સામે હશે.

