વૈભવ સૂર્યવંશીને બહાર રાખવામાં આવ્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટર ગુસ્સે ભરાયા, કહ્યું- 'મારી પત્ની પણ...'

વૈભવ સૂર્યવંશી અફઘાનિસ્તાન સામેની પહેલી મેચમાં નહતો રમ્યો અને આજે બીજી T20Iમાં તે રમશે તેવી શક્યતા ઓછી લાગે છે. આ સ્થિતિમાં, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે તેઓ 15 વર્ષના બેટ્સમેન સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા. તેમણે સંજુ સેમસનને લઈને કહ્યું કે તેમને તેના પર દયા આવે છે.
ઝિમ્બાબ્વે સામેની છેલ્લી T20I સિરીઝમાં વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, છતાં તેને બહાર કરવામાં આવ્યો હતો. સંજુ સેમસન અને અભિષેક શર્માએ ઈનિંગની શરૂઆત કરી હતી, જેમાં અભિષેકે શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે સંજુ ફ્લોપ (10) રહ્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટર કે. શ્રીકાંતે ખુલાસો કર્યો કે જ્યારે તેમને ખબર પડી કે વૈભવ અફઘાનિસ્તાન સામે નથી રમી રહ્યો, ત્યારે તેમણે ટીવી પરથી મેચ બંધ કરી દીધી અને ફિલ્મ જોવાનું શરૂ કર્યું. તેમણે તેમની પત્ની વિશે એક કિસ્સો પણ શેર કર્યો, જેણે પણ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.
શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યું કે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત થતાં જ તેની પત્ની પણ ગુસ્સામાં બૂમો પાડવા લાગી. તેમને પણ નહતું લાગ્યું કે ઝિમ્બાબ્વે સામે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયા પછી પણ તે ડ્રોપ થશે.
'મેચ છોડીને ફિલ્મ જોવાનું શરૂ કર્યું'
શ્રીકાંતે કહ્યું કે વૈભવ રમી રહ્યો નથી તે જાણતાં જ તે મેચ છોડીને ફિલ્મ જોવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું, "વૈભવ સૂર્યવંશી સાથે બધું સારું નથી ચાલી રહ્યું. જો તે આગામી મેચમાં રમે છે, તો તેને લાગશે કે જો તે રન નહીં બનાવે તો તેને ડ્રોપ કરવામાં આવશે. તમે ખોટો મેસેજ મોકલી રહ્યા છો અને વધુ ખેલાડીઓના મનમાં શંકા પેદા કરી રહ્યા છો. તેણે દુલીપ ટ્રોફી, T20 ઈન્ટરનેશનલ, IPL અને ઈન્ડિયા A માટે સ્કોર કર્યો છે. તમારે તેને પ્રમોટ કરવો જોઈએ."
'મને સંજુ સેમસન માટે દુ:ખ છે'
તેણે આગળ કહ્યું, "ટીમ મેનેજમેન્ટ સંજુ સેમસન સાથે પણ રમી રહ્યું છે. મને સેમસન પર દયા આવે છે. કાં તો તેને વધુ તક આપો અથવા તેને ડ્રોપ કરો, અથવા વૈભવને ડ્રોપ કર્યા વિના વધુ મેચ રમવા દો." તેમણે કહ્યું કે બંનેને જે 2-2 મેચો મળી રહી છે તે ખેલાડીઓ માટે પણ સારી નથી.

