આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં થઈ 23 વર્ષીય ખેલાડીની એન્ટ્રી, જાણો કોની જગ્યાએ રમશે

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે બંને સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે બે T20I મેચ રમવાની છે. ત્યારબાદ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ T20I રમાશે. ટીમ ઈન્ડિયા આ પછી ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ODI સિરીઝ પણ રમશે.
જમણા હાથના ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની T20I ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે (23 જૂન) સત્તાવાર જાહેરાત કરી.
BCCIના જણાવ્યા અનુસાર, 20 જૂને અફઘાનિસ્તાન સામેની ત્રીજી ODI પછી નીતિશ કુમાર રેડ્ડીને ડાબા ક્વાડ્રિસેપ્સ (જાંઘના સ્નાયુ) માં અસ્વસ્થતાનો અનુભવ થયો હતો. તબીબી તપાસ બાદ, BCCIની તબીબી ટીમે તેને થોડા સમય માટે રિહેબ કરાવવાની સલાહ આપી છે, જેના કારણે તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં નહીં રમી શકે.
23 વર્ષીય સૂર્યાંશ શેડગેએ તાજેતરમાં શ્રીલંકામાં યોજાયેલી ટ્રાઈ નેશન સિરીઝમાં ઈન્ડિયા A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા, તેણે પાંચ મેચમાં 147 રન બનાવ્યા હતા. તેણે બોલ સાથે પણ યોગદાન આપ્યું હતું, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન 23 ઓવર ફેંકી હતી. ઈન્ડિયા A એ શ્રીલંકા Aને હરાવીને ટ્રાઈ નેશન સિરીઝ જીતી હતી.
સૂર્યાંશ શેડગેએ ઘરેલું ક્રિકેટમાં પણ સતત પ્રભાવિત કર્યા છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024-25 દરમિયાન મુંબઈની ટાઈટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. લોઅર ઓર્ડરમાં બેટિંગ કરતા, તેણે 131 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 251.92 હતો. તેની વિસ્ફોટક બેટિંગ અને ઉપયોગી બોલિંગે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.
આયર્લેન્ડ સામેની T20I સિરીઝ માટે ભારતીય ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, સૂર્યાંશ શેડગે, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.
ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝ માટે ભારતીય ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, સૂર્યાંશ શેડગે, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી અને વરુણ ચક્રવર્તી.
ભારતનો આયર્લેન્ડ પ્રવાસ
- 26 જૂન: પહેલી T20, બેલફાસ્ટ
- 28 જૂન: બીજી T20, બેલફાસ્ટ
ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ
- 1 જુલાઈ: પ્રથમ T20, ચેસ્ટર-લે-સ્ટ્રીટ
- 4 જુલાઈ: બીજી T20, માન્ચેસ્ટર
- 7 જુલાઈ: ત્રીજી T20, નોટિંગહામ
- 9 જુલાઈ: ચોથી T20, બ્રિસ્ટોલ
- 11 જુલાઈ: પાંચમી T20, સાઉધમ્પ્ટન
- 14 જુલાઈ: પ્રથમ ODI, બર્મિંગહામ
- 16 જુલાઈ: બીજી ODI, કાર્ડિફ
- 19 જુલાઈ: ત્રીજી ODI, લોર્ડ્સ

