Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : These 5 zodiac signs will increase mental stress and financial difficulties!

VIDEO: મંગળ-રાહુનો ખતરનાક સંયોગ: આ 5 રાશિઓની વધશે માનસિક તણાવ અને નાણાકીય મુશ્કેલીઓ!

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ મંગળ અને છાયા ગ્રહ રાહુ વચ્ચેનો સંબંધ અત્યંત ઉગ્ર અને સંવેદનશીલ માનવામાં આવે છે. પરાક્રમ, ઊર્જા અને ક્રોધના કારક મંગળ ગ્રહે હાલમાં રાહુના સ્વામિત્વવાળા આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. મંગળ 2 સપ્ટેમ્બર 2026 સુધી આ જ નક્ષત્રમાં વિરાજમાન રહેશે. આર્દ્રા નક્ષત્ર તીવ્ર ફેરફારો, ઉથલપાથલ અને માનસિક તણાવનું પ્રતીક છે. મંગળ જેવા અગ્નિ તત્વના ગ્રહનું રાહુના નક્ષત્રમાં જવું નિર્ણય લેવાની ક્ષમતા પર વિપરીત અસર પાડે છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો આ સમયગાળામાં મોટા નુકસાનનું કારણ બની શકે છે.

App Store

આ 5 રાશિઓ પર થશે નકારાત્મક અસર

મેષ રાશિ: આ રાશિના સ્વામી મંગળ પોતે છે. રાહુના નક્ષત્રમાં ગોચરથી સ્વભાવમાં આક્રમકતા અને ઉતાવળ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે વાદ-વિવાદ ટાળવો. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. ઉતાવળ કે ભાવુકતામાં નાણાકીય નિર્ણય લેવાથી મોટું નુકસાન થઈ શકે છે.

વૃષભ રાશિ: આ ગોચર વાણી અને ધન સ્થાન પર વિપરીત અસર કરી શકે છે. ક્રોધ અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીં તો બનતા કામ બગડી શકે છે અને સંબંધોમાં તિરાડ પડી શકે છે. અણધાર્યા ખર્ચ બજેટ ખોરવી શકે છે. આ સમયગાળામાં કોઈને પણ ઉધાર નાણાં આપવાનું ટાળવું.

સિંહ રાશિ: આ સમયગાળા દરમિયાન માનસિક તણાવ અને કારકિર્દીમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. ઓફિસ પોલિટિક્સનો ભોગ બનવાથી બચવું અને માત્ર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. બ્લડ પ્રેશર કે રક્ત સંબંધિત આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ: ગુપ્ત શત્રુઓ અને ષડયંત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. કોઈના પર અંધ વિશ્વાસ ન મૂકવો. કાનૂની કામગીરીમાં પૂર્ણ સાવધાની રાખવી. શેરબજાર કે જોખમી રોકાણથી દૂર રહેવું, ધનહાનિના યોગ છે.

મકર રાશિ: પારિવારિક જીવન અને નાણાકીય લેવડ-દેવડમાં અત્યંત સંયમ જાળવવો. જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે મતભેદ વધી શકે છે. અચાનક મોટો અણધાર્યો ખર્ચ સામે આવી શકે છે, જેથી દેવું કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

અશુભ અસરોથી બચવા માટેના જ્યોતિષીય ઉપાયો

આ અશુભ સમયગાળા દરમિયાન મુશ્કેલીઓથી બચવા માટે દરરોજ હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. મંગળવારના દિવસે જરૂરિયાતમંદ લોકોને લાલ મસૂરની દાળ, ગોળ કે તાંબાના વાસણનું દાન કરવું ફળદાયી નીવડે છે. કોઈપણ મોટો નાણાકીય કે વ્યાવસાયિક નિર્ણય 2 સપ્ટેમ્બર સુધી ટાળવો અથવા અનુભવી લોકોની સલાહ લઈને જ આગળ વધવું.

નોંધ: આ લેખમાં દર્શાવેલ ઉપાયો/લાભ/સલાહ અને વિધાનો જ્યોતિષને અનુસરી ફક્ત સામાન્ય માહિતી માટે છે. GSTV આની કોઈ પુષ્ટિ કરતું નથી. અહીં આપેલી માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગ/પ્રવચનો/માન્યતાઓ/ધર્મગ્રંથો પરથી એકત્રિત કરવામાં આવી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News